અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ તેની માતા સાથે પ્રયાગરાજના મહાકુંભથી વારાણસી સુધીની ધાર્મિક યાત્રા કરી. 'વીર-ઝારા'ની અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે આ પવિત્ર સ્થળોની તેમની મુલાકાતની કેટલીક ઝલક બતાવી હતી.
પ્રીતિએ બતાવી ઝલક
તેમણે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ નોટ લખી. "આ કેટલી રોમાંચક સફર રહી છે. માતા શિવરાત્રી માટે વારાણસીમાં અમારી મહાકુંભ યાત્રાનો અંત લાવવા માંગતી હતી. તો મેં તેમને કહ્યું, ચોક્કસ, મા, ચાલો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા, ત્યારે જાણવા મળ્યું કે વધુ ભીડને કારણે કારણે મંજૂરી નહોતી અને એક પોઈન્ટ પછી રસ્તાઓ બંધ કરાયા હતા. તેથી, લોકો કાશી વિશ્વનાથ મંદિરમાં પગપાળા જતા હતા. અમે ત્યાં જવાનું નક્કી કર્યું. કારમાં બેસવાથી માંડીને ઓટો-રિક્ષા અને સાયકલ-રિક્ષા સુધી, અમે ઘણું બધું કર્યું.
મને ક્યારેય કંઈપણ નકારાત્મક મળ્યું નથી અને લોકો મૂળભૂત રીતે સારા છે. મુસાફરીમાં કલાકો લાગ્યા હોવા છતાં, અમને ક્યારેય કોઈ અગવડતાનો અનુભવ થયો ન હતો. વિશ્વાસની શક્તિ અને આસપાસના લોકોની સામૂહિક ઊર્જાનો આભાર ".
પ્રીતિ ઝિન્ટાએ એ પણ શેર કર્યું કે તેની માતા સમગ્ર મુસાફરી દરમિયાન અત્યંત ખુશ હતી અને તેમના મતે તે સૌથી મોટી 'સેવા' છે. "મેં મારી માતાને આટલી ખુશ ક્યારેય જોઈ નથી. તેમને જોઈને મને સમજાયું કે સૌથી મોટી સેવા ભગવાનની નહીં, પરંતુ મારા માતા-પિતાની છે. દુઃખની વાત એ છે કે, જ્યારે આપણે માતા-પિતા બનીએ છીએ ત્યારે જ આપણને તેનું મૂલ્ય સમજાય છે. અમે મધ્યરાત્રિએ પહોંચ્યા અને મધ્યરાત્રિની આરતી જોઈ. તે થોડી સેકંડ માટે હતું, કારણ કે ત્યાં કોઈ વીઆઇપી સેવાઓ ઉપલબ્ધ નહોતી, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં ".



















