Danish Kaneria Pahalgam Terror Attack: 22મી એપ્રિલની બપોરે પહેલગામની સુંદર ખીણો લોહીથી લથબથ થઈ ગઈ. જમ્મુ-કાશ્મીરના નજારા માણવા આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસના યુનિફોર્મમાં આવેલા ક્રૂર લોકોએ ધર્મ વિશે પૂછીને એક પછી એક પ્રવાસીઓને મોતની શાશ્વત ઊંઘમાં સુવડાવી દીધા.
28 નિર્દોષ લોકો માર્યા ગયા અને લગભગ 17 લોકો હજુ પણ પોતાનો જીવ બચાવવા માટે લડી રહ્યા છે. સમગ્ર ભારત દેશ બદલાની આગમાં સળગી રહ્યો છે અને સર્વત્ર રોષ છે. પાકિસ્તાનના પૂર્વ સ્પિન બોલર દાનિશ કનેરિયાએ પણ આ કાયરતાપૂર્ણ હુમલાની આકરી નિંદા કરી છે. કનેરિયાએ પહેલગામમાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાનના જ વડાપ્રધાન શાહબાઝ શરીફને ભીંસમાં મૂક્યા છે.
કનેરિયાએ શરીફને જવાબદાર ગણાવ્યા
પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વન-ડે રમનાર ડેનિશ કનેરિયાએ પોતાના એક્સ એકાઉન્ટ પર ટ્વીટ કરીને પહેલગામ હુમલાની નિંદા કરી હતી. તેણે લખ્યું, "જો પહલગામમાં થયેલા હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા ન હતી, તો શા માટે પીએમ શાહબાઝ શરીફે અત્યાર સુધી તેની નિંદા નથી કરી? તમારી સેના અચાનક હાઈ એલર્ટ પર કેમ છે?
કારણ કે તમે અંદરથી પણ સત્ય જાણો છો કે આતંકવાદીઓને આશ્રય આપનાર તમે જ છો. તમને શરમ આવવી જોઈએ." સુરક્ષા એજન્સીઓએ પહેલગામમાં આતંક મચાવનારા ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. એવું કહેવાય છે કે આ હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની હતા, જ્યારે અન્ય બે આતંકવાદીઓ કાશ્મીરના હતા.
If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.
— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025
હાફિઝે પણ કર્યું ટ્વિટ
મોહમ્મદ હાફીઝે પણ પહેલગામમાં થયેલા હુમલા અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, "હું આ હુમલાથી દુઃખી અને દિલગીર છું." પહેલગામમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ખાસ કરીને પુરુષોને નિશાન બનાવ્યા હતા. લોકોને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું હતું, અને કેટલીક જગ્યાએ પ્રવાસીઓને તેમના પેન્ટ ઉતારવાની ફરજ પડી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને કલમા પાઠ કરવા કહ્યું અને જે પણ એવું કરવામાં નિષ્ફળ ગયા તેને તરત જ ગોળી મારી દેવામાં આવી.






