પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની જેદ્દાહમાં દ્વીપક્ષીય બેઠક દરમિયાન કાશ્મીરના પેહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાને લઇને PM મોદીએ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો છે.પ્રધાનમંત્રી મોદીએ જેદ્દાહની મુલાકાત દરમિયાન સત્તાવાર રાત્રિભોજનમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું અને પેહલગામ હુમલાના કારણે પોતાની મુલાકાત ટૂંકાવી મંગળવારે રાત્રે ભારત પાછા ફર્યા. PM મોદી પ્રવાસ ટૂંકાવી ભારત પર ફર્યા છે. આ સાથે જ દિલ્લીમાં PM મોદીના દિલ્લીમાં લેન્ડિંગ સાથે જ સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશમંત્રી એસ. જયશંકરે સમગ્ર સ્થિતિને લઇને પ્રધાનમંત્રીને બ્રિફિંગ આપ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ આ હુમલાને ભારત માટે ગંભીર ધક્કો ગણાવ્યો અને આતંકવાદ સામેની લડાઈમાં સાઉદી અરેબિયાની સહયોગની પ્રશંસા કરી. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારતને આતંકવાદ સામે લડવામાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.આ બેઠક દરમિયાન, બંને દેશોએ આતંકવાદ અને સાયબર ગુનાઓ સામે સહયોગ વધારવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. મોદીએ આ મુલાકાતને ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ઐતિહાસિક મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ગણાવી.
પહેલગામ આતંકી હુમલામાં 20થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા
જમ્મુ અને કાશ્મીરના પેહલગામ વિસ્તારમાં મંગળવારે બપોરે બૈસરાન મેદાનમાં થયેલા આતંકી હુમલામાં ઓછામાં ઓછા 20થી વધુ પ્રવાસીઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના છેલ્લા ચાર દાયકામાં કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલ સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.પ્રાથમિક માહિતી અનુસાર, ચારથી છ આતંકવાદીઓએ સૈનિકો જેવી વસ્ત્રો પહેરીને બૈસરાન મેદાનમાં આવેલા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. સામાન્ય રીતે, આ વિસ્તારમાં પ્રવાસીઓ ઘોડા પર અથવા પગે જતાં હોય છે. ગોળીબાર દરમિયાન, હુમલાખોરોએ પુરૂષોને નિશાન બનાવ્યા અને મહિલાઓને બચાવવાનો પ્રયાસ કર્યો. સામાન્ય રીતે, હુમલાખોરોએ મુસ્લિમ અને નોન-મુસ્લિમ વચ્ચે ભેદભાવ કર્યો અને નોન-મુસ્લિમોને ઓળખી ગોળીબાર કર્યો.

