ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ આજે (5/12/25)ના રોજ ભારત- પાકના DGMO વચ્ચે વાતચીત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ જયશંકર પાજર રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
DGMO વચ્ચે સાંજે 5 વાગે વાટાઘાટ ચાલુ થશે
ભારત અને પાકિસ્તાને ગત શનિવારે તાત્કાલિક અસરથી જમીન, હવા, અને સમુદ્ર પર ગોળીબારી અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સમજૂતી કરી હતી.ભારત અને પાકિસ્તાન વચ્ચે સોમવારે સાંજે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) સ્તરની વાતચીત થવાની છે.






