પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ હેઠળ સરકાર નાગરિકને રૂ. 5,00,000 સુધીનો આરોગ્ય સુરક્ષા કવચ પૂરૂ પાડે છે. જે યોજનાનું લાભ મેળવવા માટે જરૂરી પુરાવો શું જોઈએ તે અંગે વિગતે જાણી લો
જરૂરી પુરાવા
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર
રેશન કાર્ડ (નવો બારકોડેડ)
આધાર કાર્ડ
ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ 303 પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.
આ જાણી લો
દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.5,00,000 સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા કવચ.
વર્ષ 2011 માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી.
પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને 4 લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.
https://mera.pmjay.gov.in/search/login





















