Home Religion Place These 5 Magical Idols In Your Home You Will Never Face Financial Shortage

ઘરમાં મૂકો આ 5 જાદુઈ મૂર્તિઓ : ક્યારેય નહીં આવે નાણાની તંગી! વાસ્તુ દોષ થશે છુમંતર!

ઘરમાં મૂકો આ 5 જાદુઈ મૂર્તિઓ
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 09:48 AM IST

Auspicious Idols to Attract Wealth: ઘરને સુંદર બનાવવા માટે આપણે ઘણી વસ્તુઓ મૂકીએ છીએ, પરંતુ જો વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર શુભ મૂર્તિઓ પસંદ કરીએ તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, નાણાકીય તંગી દૂર થાય છે અને ભાગ્ય પલટાઈ જાય છે. વાસ્તુ નિષ્ણાતોના મતે આ 5 પવિત્ર મૂર્તિઓ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલ્લા થાય છે.

ઘરે લાવો કાચબો, મળશે ખુબ જ લાભ! | Fengshui tips benifits of tortoise

1. કાચબાની મૂર્તિ – સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક

ભગવાન વિષ્ણુના કુર્મ અવતાર સ્વરૂપે પૂજાતો કાચબો ધનલક્ષ્મીના આશીર્વાદ આપે છે. ડ્રોઇંગ રૂમ કે પૂજાસ્થાનમાં પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે અને જીવન સ્થિર બને છે.

Vastu Shastra : ઘરમા એવી રીતે રાખો હાથીની મૂર્તિ કે આવે અઢળક ધન, થાય પ્રગતિ  - Gujarati News | What are the benefits of placing an elephant statue in  the house according

2. હાથીની મૂર્તિ – શક્તિ, બુદ્ધિ અને ભવ્યતાનું પ્રતીક

હાથીને ભગવાન ગણેશજી સાથે પણ જોડવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પાસે કે ડ્રોઇંગ રૂમમાં સૂંઢ ઉપર કરેલા હાથીની જોડી રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે, પારિવારિક કલહ ઓછો થાય છે અને સમૃદ્ધિ આવે છે. બેડરૂમમાં ચાંદીનો હાથી રાખવાથી રાહુના દોષમાંથી મુક્તિ મળે છે.

Keep a camel statue to remove obstacles in your career. | Gujarat News |  Sandesh

3. ઊંટની મૂર્તિ – પ્રગતિ અને ધૈર્યનું પ્રતીક

વાસ્તુ તથા ફેંગશુઈ બંનેમાં ઊંટને અદ્ભુત માનવામાં આવે છે. ઓફિસ કે ડ્રોઇંગ રૂમની ઉત્તર-પશ્ચિમ દિશામાં ઊંટની મૂર્તિ રાખવાથી કારકિર્દીમાં અડચણો દૂર થાય છે, અટકેલા કામ પૂરા થાય છે અને વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થાય છે.

Vastu Benefits of Couple Swan Sculpture: रिश्तों में कभी नहीं आएगी खटास घर  पर रखें दो हंसो का जोड़ा

4. હંસની જોડી – વૈવાહિક સુખ અને પ્રેમનું પ્રતીક

હંસ એકપત્ની વ્રતનું પ્રતીક છે. બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સુંદર હંસની જોડીની મૂર્તિ રાખવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ગેસ્ટ રૂમમાં રાખવાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.

કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં કઈ દિશામાં રાખવી જોઈએ ? - Revoi.in

5. ગાયની મૂર્તિ – માં લક્ષ્મીનું સ્વરૂપ, સૌભાગ્યનો ખજાનો

હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. પિત્તળ કે ચાંદીની ગાય-વાછરડાની મૂર્તિ પૂજાસ્થાન કે ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા છવાય છે, સંતાન પ્રાપ્તિના યોગ બને છે અને દરેક પ્રકારનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.આ ૫ મૂર્તિઓને યોગ્ય દિશામાં અને શુદ્ધ મનથી સ્થાપિત કરો, થોડા જ દિવસોમાં તમારા જીવનમાં આવતા ચમત્કાર જુઓ!

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now