પાકિસ્તાનમાં આતંકવાદીઓ જાણે રોજે રોજ થઈ રહ્યાં છે. સ્થિતિ એવી છે કે પડોશી દેશમાં ખાદ્ય પદાર્થોની સાથે દવાઓની કમી સર્જાઈ છે. પાકિસ્તાનની કોઈ પણ હોસ્પિટલમાં દવાઓનો યોગ્ય પુરવઠો નથી. પાકિસ્તાન સરકાર તેના દેશની કોઈપણ સમસ્યા માટે ભારત પર દોષનો ટોપલો નાખી દે છે. પરંતુ તેના લોકોને જ દવાઓ પૂરી પાડવામાં અસમર્થ છે.
પાકિસ્તાનમાં નથી કોઈ દવા
પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરીએ પાકિસ્તાનની હોસ્પિટલોનો ઉલ્લેખ કરતા સમજાવ્યું કે કેવી રીતે ત્યાંના લોકોને દવાઓ મળતી નથી અને જો મળે તો પણ તે ખૂબ મોંઘી છે. પાકિસ્તાની યુટ્યુબરે સામાન્ય જનતાને પૂછ્યું કે શું પાકિસ્તાને સીધો વેપાર કરીને ભારત પાસેથી દવા લેવી જોઈએ. એક પાકિસ્તાની દર્દીએ કહ્યું કે ત્યાંની હોસ્પિટલની સ્થિતિ એવી છે કે પ્રિસ્ક્રિપ્શનમાં સૌથી નાની દવા પણ બહારથી લાવવા માટે લખેલી હોય છે. દર્દીએ કહ્યું કે તે 4 દિવસમાં બહારથી 25,000 રૂપિયાની દવા લઈને આવ્યો છે.
'ભારતમાંથી સીધી દવા ખરીદો "
ભારતમાંથી દવાઓ પહેલા દુબઈ જાય છે અને પછી પાકિસ્તાન આવે છે. આ અંગે એક દર્દીએ કહ્યું, "આપણે ભારત પાસેથી સીધી વિનંતી કરીને દવા ખરીદવી જોઈએ. પાકિસ્તાનમાં કામદારોને પગાર મળતો નથી. એટલા માટે અમારા ડોકટરો પણ પાકિસ્તાન છોડીને બીજા દેશોમાં ગયા, તેમને અહીં પૈસા નથી મળતા. અન્ય એક શ્રમિકે કહ્યું કે તેમણે ઘણા લોકોને તેમના સંબંધીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે પૈસા આપ્યા હતા.





