ATS એ રામપુરના રહેવાસી શહજાદની ધરપકડ કરી હતી, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના નિર્દેશ પર જાસૂસી કરી રહ્યો હતો. તે ઘણા ISI હેન્ડલર્સના સંપર્કમાં હતો અને ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો. આ ઉપરાંત, તેના હેન્ડલર્સની સૂચના પર, તે ઘણા ISI એજન્ટોને પૈસા પણ પહોંચાડતો હતો. તેણે કેટલાક લોકોને જાસૂસી માટે પાકિસ્તાન પણ મોકલ્યા છે.
સરહદ પર કરતો હતો દાણચોરી
ATS ને ગુપ્ત માહિતી મળી હતી કે રામપુરનો રહેવાસી એક યુવક ભારત-પાકિસ્તાન સરહદ પર દાણચોર તરીકે કામ કરે છે અને ISI ના રક્ષણ હેઠળ છે. તે ISI માટે જાસૂસી જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
ઘણા વર્ષોથી પાકિસ્તાન આવ - જા કરતો હતો
તલસ્પર્શી તપાસ બાદ જાણવા મળ્યું કે રામપુરના ટાંડા સ્થિત આઝાદ નગરનો રહેવાસી શહજાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન આવાગમન કરે છે. તે ગુપ્ત રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર કોસ્મેટિક્સ, કપડાં, મસાલા અને અન્ય સામાનની દાણચોરી કરે છે અને તેની આડમાં તે ISI માટે કામ કરતો હતો. શહજાદ ISI એજન્ટો સાથે સતત સંપર્કમાં હતો, અને દેશની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી શેર કરતો હતો.
ISI એજન્ટો વિઝાની વ્યવસ્થા કરતા હતા
ત્યારબાદ, ATS એ તેની સામે કેસ નોંધ્યો અને મુરાદાબાદથી તેની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે રામપુર તેમજ રાજ્યના અન્ય ઘણા સ્થળોએથી લોકોને ISI માટે કામ કરવાના હેતુથી દાણચોરીની આડમાં પાકિસ્તાન મોકલતો હતો. ISI એજન્ટો તેમના વિઝા વગેરેની વ્યવસ્થા કરતા હતા. શહજાદે ભારત વિરુદ્ધ જાસૂસી કરવા માટે ISIને ભારતીય સિમ કાર્ડ પણ પૂરા પાડ્યા હતા. એટીએસ સોમવારે તેને કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડની માંગણી કરશે.
વિઝા અને સિમ કાર્ડસનો દુરુપયોગ
શહજાદે પૂંછપરછ દરમિયાન જણાવ્યું કે તે રામપુર ઉપરાંત ઉત્તર પ્રદેશના બીજા શહેરોમાંથી પણ યુવાનોને પાકિસ્તાન મોકલતો હતો. તેમના વિઝા, ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વગેરેની વ્યવસ્થા ISIના એજન્ટ્સ દ્વારા થતું હતું. તેણે ભારતનાં સિમ કાર્ડ્સ પણ ISI સુધી પહોંચાડ્યા હતા, જેનો તેઓ ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરતા.






