પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે. જોકે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આવનારું વર્ષ 2026 પાકિસ્તાન માટે અત્યંત ભયાનક સાબિત થઈ શકે છે. પાકિસ્તાનની જન્મ કુંડળીના ગ્રહો અને ગોચરની સ્થિતિ એવો સંકેત આપી રહી છે કે વર્ષ 2026માં પાકિસ્તાનમાં મોટો સત્તા પલટો થઈ શકે છે. આટલું જ નહીં દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે અને લોકશાહી નામશેષ થઈ જશે. જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહોની ચાલ પાકિસ્તાનને બરબાદી તરફ લઈ જઈ રહી છે.
પાકિસ્તાનની કુંડળીમાં રહેલા દોષ
પાકિસ્તાનની સ્થાપના 14 ઓગસ્ટ 1947ના રોજ થઈ હતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાકિસ્તાનની કુંડળી મેષ લગ્નની છે. આ કુંડળીમાં લગ્નેશ મંગળ છે જે યુદ્ધ અને સંઘર્ષનો કારક ગ્રહ છે. આ મંગળ છઠ્ઠા ભાવમાં નીચ રાશિના શુક્ર સાથે બિરાજમાન છે. આ ગ્રહ સ્થિતિ દર્શાવે છે કે પાકિસ્તાન હંમેશા લડાઈ ઝઘડા અને દેવામાં ડૂબેલું રહેશે. આ ઉપરાંત સૂર્ય અને શનિની યુતિ કર્ક રાશિમાં છે જે લોકશાહી માટે શ્રાપ સમાન છે. આ કારણે ત્યાં વારંવાર સરકારો પડી જાય છે અને સેનાનું વર્ચસ્વ વધે છે.
વર્ષ ૨૦૨૬માં શનિ અને ગુરુની અશુભ અસર
વર્ષ 2026ની શરૂઆતથી જ પાકિસ્તાન પર મુસીબતોનો પહાડ તૂટી પડશે. ચંદ્ર અને શનિની દશાને કારણે જનતા અને સરકાર વચ્ચે સંઘર્ષ થશે. માર્ચ ૨૦૨૬થી એપ્રિલ ૨૦૨૬ સુધી શનિ ગ્રહ અસ્ત થશે જે સરકારને નિર્ણય લેવામાં અસમર્થ બનાવશે. આ સમયગાળામાં સેનાની પકડ મજબૂત થશે અને લોકશાહી માત્ર કાગળ પર રહી જશે. જૂન ૨૦૨૬માં ગુરુ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જે થોડા સમય માટે વિદેશી મદદ અપાવી શકે છે પરંતુ તે માત્ર એક આભાસ હશે. ઓક્ટોબર બાદ ગુરુ સિંહ રાશિમાં જતા જનતાનો રોષ ફાટી નીકળશે.
આર્થિક કટોકટી અને મોંઘવારીનો માર
પાકિસ્તાનની કુંડળીમાં શુક્ર ગ્રહ નીચનો હોવાથી આર્થિક સ્થિતિ ક્યારેય સુધરી શકતી નથી. ૨૦૨૬ના અંતમાં ગુરુ વક્રી થતા આર્થિક નિર્ણયો ખોટા સાબિત થશે. પાકિસ્તાની રૂપિયો ડોલર સામે ગગડી જશે અને મોંઘવારી આસમાને પહોંચશે. લોકો રોટી માટે રસ્તા પર ઉતરી આવશે અને દેશમાં અરાજકતા ફેલાશે.
રાહુ કેતુ અને સત્તા પલટો
વર્ષ ૨૦૨૬ના અંતમાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં સ્થિતિ સૌથી વધુ ખરાબ થશે. નવેમ્બર મહિનામાં રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે. રાહુ મકર રાશિમાં અને કેતુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ પરિવર્તન પાકિસ્તાનની સત્તાને હચમચાવી નાખશે. સંસદમાં તોડફોડ અને નેતાઓ સાથે વિશ્વાસઘાત જેવી ઘટનાઓ બની શકે છે. આ સમયગાળામાં ખુલ્લેઆમ સત્તા પલટો થવાની અને લશ્કરી શાસન આવવાની પ્રબળ શક્યતા છે.
ભારત અને દુનિયા પર અસર
આ જ્યોતિષીય ઘટનાક્રમની અસર માત્ર પાકિસ્તાન પૂરતી સીમિત નહીં રહે. પાકિસ્તાનમાં અસ્થિરતા વધવાને કારણે ભારતની સરહદો પર તણાવ વધી શકે છે. આંતરિક વિદ્રોહને દબાવવા માટે પાકિસ્તાન કાશ્મીર સહિતની સરહદો પર આતંકી પ્રવૃત્તિઓ વધારી શકે છે. અમેરિકા અને ચીન પણ પોતાની રણનીતિ બદલશે જેનાથી દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલાઈ શકે છે. ટૂંકમાં કહીએ તો ૨૦૨૬નું વર્ષ પાકિસ્તાનના અસ્તિત્વ માટે જોખમી સાબિત થશે.
નોંધ: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. આ માત્ર એક ભવિષ્યવાણી છે જેની સત્યતાની અમે પુષ્ટિ કરતા નથી.





















