જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ પાડોશી દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ પછી દેશની સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરી, જેની અસર હવે જોવા મળી રહી છે. પાડોશી દેશના નેતાઓ નર્વસ જોવા મળી રહ્યાં છે. આ જ કારણ છે કે તે આજકાલ બકવાસ કરવા લાગ્યા છે. તાજેતરનો મામલો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પૂર્વ મુખ્યમંત્રીએ ભારતની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. નજમ સેઠીએ એવી ધમકી આપી છે કે પાકિસ્તાન ભારત પર પરમાણુ બોમ્બ ફેંકી શકે છે.
નજમ સેઠીએ કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થોડા દિવસ ચાલે તો ભારત પાકિસ્તાન પર વર્ચસ્વ નહીં રાખી શકે, પરંતુ જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો પાકિસ્તાન ભારત સામે ટકી શકશે નહીં. ત્યારે આવી સ્થિતિમાં પાકિસ્તાન પરમાણુ બોમ્બ ફેંકી શકે છે. ભારત ગમે તેમ કરીને ડરી ગયું છે. તે જાણે છે કે તેઓ પાગલ છે. કદાચ તેઓ કંઈક કરે. અમે યુદ્ધથી ડરતા નથી.
પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીની ધમકી
નજમ સેઠી પહેલા પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ પણ ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો આપણું પાણી રોકવામાં આવશે તો ભારતે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. અમારી પાસે ગૌરી, શાહીન, ગઝનવી અને 130 પરમાણુ શસ્ત્રો છે. આ તમામ હથિયારો માત્ર ભારત માટે જ રાખવામાં આવ્યા છે. તેની દિશા ભારત તરફ છે.





