પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના સંગઠન TRFએ લીધી છે. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CCSએક મોટી બેઠક બોલાવી. આ મુદ્દે પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ કહ્યું કે, જો પાકિસ્તાન કે ભારતમાં કંઈ થાય છે તો અમે એકબીજા પર આરોપ લગાવીએ છીએ. પાકિસ્તાન સરકારે આ હુમલા પર ખેદ વ્યક્ત કર્યો છે, પરંતુ પાકિસ્તાન સરકારે આગળ આવીને ભારત સરકાર સાથે વાત કરવી જોઈએ.
પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ શું કહ્યું?
અરઝૂ કાઝમીએ કહ્યું, 'આ અંગે તપાસ થવી જોઈએ અને પાકિસ્તાનથી કાર્યરત તમામ આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને તેમને રોકવું જોઈએ. ક્યાં સુધી આપણે જોતા રહીશું કે જ્યારે પણ ભારતમાં કંઇક થાય છે ત્યારે પાકિસ્તાનનું નામ આવે છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કંઈક થાય તો તેઓ ભારતનું નામ લે છે. અમે એમ કહીને જવાબદારીમાંથી છટકી શકીએ નહીં કે અમે કંઈ કર્યું નથી અને આ બધું પોતાની મેળે થયું છે. તેથી પાકિસ્તાન સરકારે આગળ આવવું જોઈએ. તપાસ થકી બધુ સ્પષ્ટ થવુ જોઈએ. પાકિસ્તાનમાં જે લોકો આમાં સામેલ છે તેમને સંપૂર્ણ સજા થવી જોઈએ.





