Home Religion New Year 2026 First Day Remedies Money Luck Success Astro Tips

વર્ષ 2026ના પહેલાં દિવસે ભૂલ્યા વગર કરી લો આ શુભ કામ : આખું વર્ષ તમારી તિજોરી ધનથી છલકાયેલી રહેશે

વર્ષ 2026ના પહેલાં દિવસે ભૂલ્યા વગર કરી લો આ શુભ કામ
Published by: Offbeat Team
| Last Updated: Dec 29, 2025, 04:15 AM IST

નવા વર્ષ 2026ના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિના મનમાં ઉત્સાહ અને નવી આશાઓ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનો પહેલો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ દિવસની ઊર્જા આખા વર્ષ દરમિયાન આપણા જીવન પર પ્રભાવ પાડે છે. વર્ષ 2026નો સરવાળો 1 થાય છે જે સૂર્ય દેવનો અંક છે. તેથી આ વર્ષે સફળતા અને કીર્તિ મેળવવી હોય તો પહેલા દિવસે ખાસ ઉપાયો કરવા અનિવાર્ય છે. જો તમે વર્ષના પહેલા દિવસે સવારે ઉઠીને શાસ્ત્રોમાં જણાવેલા આ સરળ કામ કરશો તો આખું વર્ષ તમારા પર દેવી લક્ષ્મી અને સૂર્ય નારાયણની કૃપા વરસતી રહેશે.

સૂર્ય દેવની આરાધના કરો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 2026નો કુલ યોગ 1 થાય છે જે સૂર્યનો નંબર છે. તેથી 1 જાન્યુઆરીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ. તાંબાના લોટામાં પાણી લઈ તેમાં થોડું કંકુ લાલ ફૂલ અને ચોખા નાખીને સૂર્યને અર્ઘ્ય આપો. આમ કરવાથી તમારા માન સન્માનમાં વધારો થશે અને વર્ષભર સરકારી કે અન્ય કામોમાં આવતી અડચણો દૂર થશે. આ દિવસે સૂર્ય દેવના મંત્રોનો જાપ કરવો પણ અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે.

મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવો

ઘરનો મુખ્ય દરવાજો એ સકારાત્મક ઊર્જા અને લક્ષ્મીજીના આગમનનું સ્થાન છે. નવા વર્ષના પહેલા દિવસે ઘરના મુખ્ય દરવાજાને સાફ કરીને ગંગાજળ છાંટવું જોઈએ. ત્યારબાદ દરવાજાની બંને બાજુ કંકુ અને હળદરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવવું જોઈએ. દરવાજા પર આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ બાંધવું પણ ખૂબ જ શુભ ગણાય છે. આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.

હથેળીના દર્શન કરો

શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણી હથેળીઓમાં દેવી લક્ષ્મી દેવી સરસ્વતી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી 1 જાન્યુઆરીની સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારી બંને હથેળીઓને જોવી જોઈએ અને ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. આ નાનકડો નિયમ તમારા દિવસની શરૂઆતને સકારાત્મક બનાવશે અને આખું વર્ષ તમારા કાર્યોમાં સફળતા અપાવશે.

તુલસી ક્યારે દીવો પ્રગટાવો

હિન્દુ ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. નવા વર્ષના પહેલા દિવસે સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ. જો શક્ય હોય તો તુલસીની 11 પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલી આર્થિક તંગી દૂર થાય છે અને પરિવારમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે. આ દિવસે ગરીબોને અન્ન કે વસ્ત્રનું દાન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આખું વર્ષ ભંડાર ભરેલા રહે છે.

મીઠાઈ અને ગોળનું સેવન

વર્ષના પહેલા દિવસે મોઢું મીઠું કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. સૂર્ય પ્રધાન વર્ષ હોવાથી આ દિવસે ભોજનમાં ગોળનો ઉપયોગ કરવો અથવા ગોળનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પરિવાર સાથે મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ જેથી આવનારું વર્ષ 2026 તમારા અને તમારા પરિવાર માટે મંગલમય સાબિત થાય.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા