'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, PM મોદી વિદ્યાર્થીઓની માફી માગે': NEET મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર સીધો પ્રહાર


નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં બેરોજગારી અને પેપર લીક મુદ્દે સરકાર સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે દેશમાં મેન્યુફેક્ચરિંગ, એન્ટરપ્રિન્યોરશિપ, કોર્પોરેટ જોબ અને પબ્લિક સેક્ટર જેવા રોજગારીના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. કોર્પોરેટ ક્ષેત્રમાં AIના કારણે નોકરીઓ ઘટી છે અને બેંકોના નાણાં માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે યુવાનો પાસે માત્ર સરકારી નોકરીનો વિકલ્પ બચ્યો છે, પરંતુ તેમાં પણ ૪૦ થી ૫૦ લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. આ ભયંકર ભ્રષ્ટાચારના કારણે સાડા સાત કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પીડાઈ રહ્યા છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેપર લીક મુદ્દે સરકારને ઘેરતાં જણાવ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫૨ વખત પેપર લીક થયા છે, જેનાથી દેશના સાડા સાત કરોડ યુવાનો અને તેમના પરિવારનું ભવિષ્ય રોળાયું છે. તેમણે ઉમેર્યું કે ૪-૫ વર્ષ સુધી રોજ ૮ થી ૧૦ કલાક મહેનત કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ સદંતર અન્યાય છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે વર્તમાન શિક્ષણ પ્રણાલી સામાન્ય લોકો માટે પોષાય તેવી રહી નથી. સરકારી બજેટ સામે વાર્ષિક રૂ. ૧.૩૨ લાખ કરોડનો નીટ ખર્ચ સામાન્ય પરિવારો પર લાદવામાં આવે છે, જ્યારે સરકારની નજરમાં યુવાનોની મહેનતની કોઈ કિંમત નથી.
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર ગંભીર આરોપો લગાવતા તેમના તાત્કાલિક રાજીનામાની માગ કરી છે. તેમણે કહ્યું કે મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓના પેપર વારંવાર લીક થવા છતાં સરકાર કોઈ નક્કર પગલાં લઈ રહી નથી. રાહુલ ગાંધીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પણ વિદ્યાર્થીઓની માફી માગવાની માંગ કરી છે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે રસ્તા પર ઊતરેલા લાખો પીડિત વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને લડતમાં કૉંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે તેમની સાથે છે અને તેમને પૂરેપૂરું સમર્થન આપે છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નીટ (NEET) પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫૨ વાર પેપર લીક થયા છે, જેનાથી સાડા સાત કરોડ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. તેમ છતાં એકપણ કેસમાં કોઈને સજા થઈ નથી. રાહુલ ગાંધીએ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી તેમના રાજીનામાની માગ કરી છે. આ સાથે જ તેમણે પીએમ નરેન્દ્ર મોદી દેશના વિદ્યાર્થીઓની માફી માગે અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર દમન કરનારાઓ સામે પગલાં લેવાય તેવી આકરી માગણીઓ કરી છે.
TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ: મહિલા સાંસદો સામે અભદ્ર વર્તન બદલ કાર્યવાહી
નવી દિલ્હી: મહિલા સાંસદો સામે કથિત રીતે અશોભનીય અને અભદ્ર ટિપ્પણી કરવાના મામલે લોકસભાએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જી સામે કડક પગલાં લીધાં છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવ બાદ તેમને ચોમાસું સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સંસદનું રાજકારણ વધુ ગરમાયું છે. વિપક્ષી સાંસદો દ્વારા ગૃહમાં સતત કરવામાં આવી રહેલા હંગામા અને વિરોધ વચ્ચે આ નિર્ણયથી સંસદીય સત્રમાં ગતિરોધ વધુ વધવાની શક્યતા છે.
નવી દિલ્હી: લોકસભામાં નીટ (NEET) મુદ્દે કૉંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલને બોલવાની તક મળતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ નારાજગી વ્યક્ત કરી હતી. કૉંગ્રેસે આ મુદ્દે વ્યાપક ચર્ચાની માગ કરી હતી, જેના જવાબમાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર વાટાઘાટો માટે પૂર્ણ રીતે તૈયાર છે.
સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટ કર્યું કે સરકાર અને તમામ વિપક્ષી પક્ષો ચર્ચા ઈચ્છે છે, પરંતુ ગૃહની ગૅલરીમાં ઊભા રહીને હંગામા વચ્ચે ચર્ચા ન થઈ શકે. સતત શૌર-બકોરને કારણે સ્પીકરે કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
નવી દિલ્હી: નીટ (NEET) પેપર લીક મુદ્દે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સંસદમાં ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો કોઈ રાજકીય પક્ષનો નહીં પણ વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે, અને જો તેમની માગ નહીં સંતોષાય તો તેઓ રસ્તા પર ઊતરશે. તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચાર અને બળપ્રયોગની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. બીજી તરફ, સંસદ સ્થગિત થયા બાદ પણ અખિલેશ અને કૉંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ વચ્ચે ચર્ચા ચાલુ રહી હતી. અખિલેશે અન્ય વિપક્ષી પક્ષોને વિશ્વાસમાં લીધા વિના કૉંગ્રેસ દ્વારા પીએમ આવાસ બહાર કરાયેલા વિરોધ પ્રદર્શન સામે વિરોધ નોંધાવ્યો હતો.
સંસદમાં વિપક્ષમાં જ ડખો: અખિલેશ યાદવ અને કે.સી. વેણુગોપાલ વચ્ચે તીખી બહેસ
નવી દિલ્હી: નીટ (NEET) પેપર લીક મુદ્દે ગૃહમાં બોલવાની તક માત્ર ભાજપ અને કૉંગ્રેસને મળતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ નારાજ થયા હતા. તેમણે સ્પીકર સામે વિરોધ નોંધાવતા કહ્યું કે, શું તમે એમની સાથે કરાર કરી લીધો છે? આ મુદ્દો કોઈ પક્ષનો નહીં પણ વિદ્યાર્થીઓનો છે. આ નિવેદન બાદ કૉંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ અને અખિલેશ યાદવ વચ્ચે તીખી બહેસ થઈ હતી. અખિલેશે ભારપૂર્વક કહ્યું કે, વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતા અંગે પહેલાં જવાબ જોઈએ, રાજીનામું પછી પણ આપી શકાય છે. જોકે, સંસદ બહાર તેમણે કૉંગ્રેસ સાથેના મતભેદોના અહેવાલોનું ખંડન કર્યું હતું.
નવી દિલ્હી: સંસદના બંને ગૃહ- લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સાંસદોનો વિરોધ અને હંગામો સતત જારી રહ્યો હતો. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભારે શૌર-બકોર અને નારેબાજીને કારણે ગૃહનું કામકાજ ખોરવાઈ ગયું હતું, જેને પગલે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને વિરોધ સાથે હંગામો મચાવ્યો હતો. વારંવારની વિનંતીઓ છતાં ગૃહમાં શાંતિ ન જળવાતાં આખરે સ્પીકર અને સભાપતિએ કાર્યવાહી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.
નવી દિલ્હી: રાજ્યસભામાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર નીટ (NEET) પેપર લીક મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માટે ૧૦૦ ટકા તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારને દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની પૂરતી ચિંતા છે. કિરેન રિજિજુએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, એક તરફ વિપક્ષ ચર્ચાની માગ કરે છે અને બીજી તરફ સતત સૂત્રોચ્ચાર અને હંગામો કરીને ગૃહની કામગીરીમાં અવરોધ ઊભો કરે છે. સરકાર તમામ સવાલોના જવાબ આપવા તત્પર હોવા છતાં વિપક્ષ માત્ર રાજકારણ કરી રહ્યો છે.
નવી દિલ્હી: સીજેપી (CJP) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો સરકાર વિરોધ કરી રહેલા નેતાઓ કે સંગઠનો સાથે વાતચીત કરવા માંગતી હોય, તો તેણે કોઈ જાહેર સ્થળે અથવા જંતર-મંતર પર આવીને વાત કરવી જોઈએ. વધુમાં, CJPએ ભારપૂર્વક જણાવ્યું છે કે સરકારે માત્ર વાટાઘાટોનો દેખાવ કરવાને બદલે તેમની માગણીઓ પૂર્ણ કરવાના સકારાત્મક ઈરાદા અને મનશા સાથે ચર્ચા માટે આગળ આવવું જોઈએ. માંગણીઓનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે.
નવી દિલ્હી: સંસદમાં ચાલી રહેલા ગતિરોધ મુદ્દે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ મનોજ ઝાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન સતત જારી છે, તેવામાં સંસદમાં ગતિરોધ કેવી રીતે ખતમ થઈ શકે? મનોજ ઝાએ વધુમાં ઉમેર્યું હતું કે સરકારે છેલ્લા ૧૨ વર્ષમાં જે ડરની ઈમારત ઊભી કરી હતી, તે હવે તૂટી ગઈ છે. વિપક્ષી નેતાઓ સતત વિવિધ મુદ્દાઓ પર સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને ગૃહમાં યોગ્ય ચર્ચાની માગ કરી રહ્યા છે.




