ભારતના પડોશી દેશ મ્યાનમારમાં રવિવારે વહેલી સવારે ફરીવાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા માપવામાં આવી છે. તાજેતરના ભૂકંપે સમગ્ર દેશમાં તબાહી મચાવી હતી, જેમાં ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 13 એપ્રિલ, 2025ના રોજ સવારે 07:54:58 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટરની અંદર હતું. હાલમાં આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
EQ of M: 5.1, On: 13/04/2025 07:54:58 IST, Lat: 21.13 N, Long: 96.08 E, Depth: 10 Km, Location: Myanmar.
— National Center for Seismology (@NCS_Earthquake) April 13, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/Fr8qprdNdt
28 માર્ચે મ્યાનમારમાં ભૂકંપના આંચકાએ તબાહી મચાવી હતી
28 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. મંડલય ક્ષેત્રમાં આ ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. આ ભૂકંપે દેશમાં ભારે તબાહી મચાવી હતી. આ ભૂકંપ મ્યાનમારના ઈતિહાસમાં સૌથી વિનાશક ધરતીકંપોમાંનો એક હતો. મ્યાનમાર આર્મીના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં 3600થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ સિવાય સેંકડો લોકો તેમના પરિવારથી વિખૂટા પડી ગયા છે.





