Telanagana Government: તેલંગાણામાં કોંગ્રેસ સરકારે સોમવારે એક આદેશ જાહેર કરીને મુસ્લિમ સરકારી કર્મચારીઓને પવિત્ર રમઝાન માસ દરમિયાન એક કલાક વહેલા ઓફિસ છોડી દેવાની મંજૂરી આપી હતી. ભાજપે આ નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો અને તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી હતી. એમ પણ કહ્યું કે આ માત્ર મુસ્લિમો માટે જ શા માટે, નવરાત્રિ દરમિયાન હિન્દુઓ માટે શા માટે કરવામાં આવતું નથી?
શું છે સરકારનો આદેશ?
તેલંગાણાના મુખ્ય સચિવ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર મુસ્લિમ સરકારી કર્મચારીઓ, શિક્ષકો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, બોર્ડ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ રમઝાન દરમિયાન સાંજે 4 વાગ્યે ઓફિસમાંથી બહાર નીકળી શકશે. આ સુવિધા 2 માર્ચથી 31 માર્ચ સુધી લાગુ રહેશે. જો કે, જો કોઈ ઇમરજન્સી સેવાની જરૂર પડશે, તો સ્ટાફને રોકાવું પડશે.
ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
ભાજપે આ નિર્ણયને લઈને કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું અને તેમને મુસ્લિમ તુષ્ટિકરણનું ઉદાહરણ ગણાવ્યું. BJP IT સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે કોંગ્રેસ સરકારે મુસ્લિમ કર્મચારીઓ માટે કામના કલાકોમાં છૂટછાટ આપી છે, પરંતુ નવરાત્રિ દરમિયાન હિન્દુઓને આવો કોઈ લાભ આપવામાં આવતો નથી.
'મુસ્લિમોને વોટ બેંક તરીકે જુએ છે કોંગ્રેસ'
બીજેપી આઈટી સેલના વડા માલવિયાએ કોંગ્રેસ પર મુસ્લિમ સમુદાયને માત્ર વોટબેંક માનવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, 'આ નિર્ણય કોઈ સમુદાયની ધાર્મિક માન્યતાઓ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે નથી, પરંતુ તેનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવા માટે લેવામાં આવ્યો છે. આનો વિરોધ થવો જોઈએ.
રમઝાનની તૈયારીઓ
આ દરમિયાન, તેલંગાણાના લઘુમતી કલ્યાણ વિભાગે ઐતિહાસિક મક્કા મસ્જિદ અને શાહી મસ્જિદમાં રમઝાન માટે વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રમઝાન એ ઇસ્લામનો પવિત્ર મહિનો છે, જેમાં મુસ્લિમો આખો મહિનો ઉપવાસ કરે છે, ઈબાદત કરે છે અને આત્મચિંતન દ્વારા પોતાને વધુ સારા લોકો બનાવવાનો પ્રયાસ કરે છે. રમઝાનના અંતમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે.






