વિકાસ એ ગુજરાતની આગવી ઓળખ છે. કોઈપણ ક્ષેત્રમાં ગુજરાત હંમેશા આગળ જ હોય છે. આવી જ કેન્દ્ર સરકારની પહેલ છે સૌરઊર્જાનો વપરાશ વધારવાની. જેમાં ગુજરાત અગ્રસ્થાને છે. સૂર્યમંદિર માટે જાણીતું ગુજરાતનું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ પણ છે અને તેનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ કનેક્શન પણ છે. જે મોઢેરા સૂર્યમંદિર માટે જાણીતું છે તે હવે સોલર વિલેજ બનીને પર્યાવરણની રક્ષા કરી રહ્યું છે અને સાથે જ દેશ આખાને નવી રાહ બતાવી રહ્યું છે.
મોઢેરા ગામ ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ બનીને ઇતિહાસ રચી ચૂક્યું છે. ૧,૩૦૦ થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ અને ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ્સ સાથે, મોઢેરાએ નવીનીકરણીય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં સમગ્ર દેશ માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અને તેનું પીએમ મોદી સાથે ખાસ કનેક્શન છે કારણ કે તે પણ પીએમ મોદીના વતન વડનગરથી નજીક આવેલું છે અને બંને એક જ જિલ્લા એટલે કે મહેસાણામાં જ આવે છે. વર્ષ 2022માં જ મોઢેરાને દેશનું સૌથી પહેલું સોલર વિલેજ જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ અન્ય ગામ પણ મોઢેરામાંથી પ્રેરણા લઈને સૌર ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે.
મોઢેરાને સોલર વિલેજ બનાવવા માટે, મહેસાણાના સુજાનપુરા ખાતે બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલી સાથેનો એક સંકલિત સૌર ઉર્જા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ બેટરી સ્ટોરેજને કારણે, અહીં ક્યારેય પાવર કટ થશે નહીં અને વીજળી સતત ઉપલબ્ધ રહેશે. તે સૂર્ય મંદિરથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલું છે. આ પ્રોજેક્ટને 'મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સૌરીકરણ' નામ આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે ૧૨ હેક્ટર જમીન ફાળવી છે. મોઢેરાના ૧૩૦૦ ઘરો જે સૌર ઉર્જાથી સજ્જ છે, તેમાંથી દરેક ઘરમાં એક કિલોવોટની સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






