Emergency Alert: ગઈકાલે ઘણા લોકોના ફોનમાં અચાનક જોરદાર સાયરન સાથે એક ઈમરજન્સી એલર્ટ આવ્યું હતું. કેટલાક લોકો માટે આ ચોંકાવનારો અનુભવ હતો, જ્યારે ઘણા લોકોને આ એલર્ટ મળ્યું જ નહોતું. જો તમે પણ એમાં સામેલ છો, તો સાવધાન રહેવાની જરૂર છે-કારણ કે આવું એલર્ટ કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં તમારું જીવન બચાવી શકે છે.
શું છે સેલ બ્રોડકાસ્ટ મેસેજિંગ સિસ્ટમ?
સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘સેલ બ્રોડકાસ્ટ મેસેજિંગ સિસ્ટમ’ એક આધુનિક જાહેર સલામતી સાધન છે. આ ટેક્નોલોજી દ્વારા કોઈપણ આપત્તિ, કુદરતી વિપત્તિ અથવા સુરક્ષા જોખમ વિશે લોકોને તરત જ જાણ કરી શકાય છે.
આ એલર્ટ સામાન્ય SMS કરતાં અલગ હોય છે. તે સીધું મોબાઇલ નેટવર્ક દ્વારા તમારા ફોન સુધી પહોંચે છે અને તેની ખાસ વાત એ છે કે તે ફોન સાઇલન્ટ મોડમાં હોવા છતાં ઊંચા અવાજ સાથે સંભળાય છે. એટલે કે, કોઈપણ ગંભીર પરિસ્થિતિમાં તમે એલર્ટ ચૂકી ન જાઓ.
તમને એલર્ટ કેમ ન મળ્યું?
ઘણા યુઝર્સને આ એલર્ટ ન મળવાનું મુખ્ય કારણ એક જ છે-ફોનમાં ‘વાયરલેસ ઇમરજન્સી એલર્ટ’ સેટિંગ બંધ હોવું.
ઘણા સ્માર્ટફોનમાં આ વિકલ્પ ડિફોલ્ટથી બંધ હોય છે અથવા યુઝર્સે અજાણતા તેને બંધ કરી દીધો હોય છે. પરિણામે, જ્યારે સરકાર દ્વારા કોઈ મહત્વપૂર્ણ એલર્ટ મોકલાય છે, ત્યારે તે તમારા ફોન સુધી પહોંચતું નથી.
Android યુઝર્સ માટે: કેવી રીતે ચાલુ કરવું ઈમરજન્સી એલર્ટ?
જો તમે Android ફોન વાપરો છો, તો નીચેના સરળ સ્ટેપ્સ અનુસરો:
ફોનની Settings ખોલો
‘Security & Emergency’ અથવા ‘Wireless Emergency Alerts’ વિકલ્પ શોધો
‘Wireless Emergency Alerts’ પર ક્લિક કરો
‘Extreme threats’, ‘Severe threats’ અને ‘Public safety alerts’ ચાલુ કરો
આ ઉપરાંત નીચેના વિકલ્પો પણ ચાલુ રાખો
Allow alerts
Alert sound
Override Do Not Disturb
આ સેટિંગ્સ ચાલુ કર્યા પછી, તમારો ફોન કોઈપણ ઈમરજન્સી સંદેશાને અવગણશે નહીં.
iPhone યુઝર્સ માટે: જરૂરી સેટિંગ કેવી રીતે ચાલુ કરશો?
જો તમે iPhone વાપરો છો, તો નીચે મુજબ સેટિંગ કરો:
Settings માં જાઓ
‘Notifications’ પર ક્લિક કરો
નીચે સ્ક્રોલ કરીને ‘Government Alerts’ વિભાગ સુધી જાઓ
‘Emergency Alerts’ અને ‘Public Safety Alerts’ ચાલુ કરો
આ પછી તમારું iPhone પણ તમામ મહત્વપૂર્ણ સરકારી એલર્ટ પ્રાપ્ત કરવા તૈયાર થઈ જશે.
આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
સેલ બ્રોડકાસ્ટ ટેક્નોલોજી એક એવી સિસ્ટમ છે જે એક સાથે લાખો મોબાઇલ યૂઝર્સ સુધી સંદેશા પહોંચાડી શકે છે. તે ચોક્કસ વિસ્તાર માટે પણ એલર્ટ મોકલી શકે છે અને સમગ્ર દેશ માટે પણ.
આ ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઇન્ટરનેટ અથવા મોબાઇલ ડેટાની જરૂર નથી. એટલે કે, નેટવર્ક કન્ઝેશન કે ડેટા બંધ હોય ત્યારે પણ આ એલર્ટ કાર્ય કરે છે.
આ સુવિધાનો ફાયદો શું છે?
આ સિસ્ટમનો મુખ્ય હેતુ લોકોના જીવનને સુરક્ષિત બનાવવાનો છે. સમયસર મળેલી માહિતી તમને નીચેની પરિસ્થિતિઓમાં મદદરૂપ થઈ શકે છે:
ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો
ભારે વરસાદ અથવા પૂર
રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ચેતવણીઓ
કોઈપણ સ્થાનિક જોખમ અથવા ઇમરજન્સી સ્થિતિ
સમયસર મળેલી ચેતવણી તમને યોગ્ય નિર્ણય લેવામાં અને સુરક્ષિત સ્થળે પહોંચવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: ઉનાળામાં કુલર લઈ શકે છે જીવ? : આ ભૂલોથી વધારે છે ઇલેક્ટ્રિક શોકનું જોખમ! જાણો સલામતીના અનિવાર્ય નિયમો
હવે આ સેટિંગ ચાલુ કરવું કેમ જરૂરી છે?
આજના સમયમાં કુદરતી અને માનવસર્જિત જોખમો વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સેલ બ્રોડકાસ્ટ જેવી ટેક્નોલોજી જીવન બચાવનાર સાબિત થઈ શકે છે.
જો તમારું ફોન આ એલર્ટ પ્રાપ્ત કરતું નથી, તો તમે મહત્વપૂર્ણ માહિતીથી વંચિત રહી શકો છો. એટલે આ સેટિંગ માત્ર એક વિકલ્પ નથી-પણ તમારી સલામતી માટે આવશ્યક છે.





