90ના દાયકામાં બોલિવૂડ ગ્લેમર અને ફેમસ મમતા કુલકર્ણી ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી હતી, અનેક કૌભાંડો અને અફવાઓને કારણે તેનું જીવન તોફાની રહ્યું હતું. પોતાની બોલ્ડ ભૂમિકાઓ અને સ્ક્રીન પર હાજરી માટે જાણીતી, મમતા કુલકર્ણી ઝડપથી ફેમસ થઈ, પરંતુ અંડરવર્લ્ડ સાથેના તેના સંબંધો અને કુખ્યાત ડ્રગ કેસમાં સંડોવણીએ તેમની ખ્યાતિને ઝડપથી નબળી પાડી.
મમતા કુલકર્ણીના જીવનના સૌથી ચર્ચિત પાસાઓમાંનો એક અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથેના તેના કથિત સંબંધો હતા. 1998માં, રાજન સાથેના તેના સંબંધોની અફવાઓ ફેલાવા લાગી, જે મીડિયામાં ચર્ચાનો વિષય બની. "ચાઇના ગેટ" ના સેટ પર બનેલી ઘટના પછી મમતા કુલકર્ણીના અંડરવર્લ્ડ સંબંધો વધુ તીવ્ર બન્યા. રાજકુમાર સંતોષી સાથેના મતભેદ બાદ તેને ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા હતા. રાજન તરફથી ધમકીઓ મળ્યા બાદ કુલકર્ણી ફિલ્મમાં પાછા ફર્યા હોવાના અહેવાલ છે. ફિલ્મની નિષ્ફળતા તેના માટે મોટો ફટકો હતો અને તેણે સંતોષી પર તેના પ્રત્યે જાતીય આકર્ષણનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
મમતા કુલકર્ણીએ દાઉદ વિશે કરી વાત
હવે, વર્ષો પછી, મમતા કુલકર્ણીએ એક મોટા અંડરવર્લ્ડ ડોનનું નામ લીધું છે. તેને કહ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી. મમતાએ કહ્યું, "દાઉદ આતંકવાદી નથી, કે તેનું નામ ક્યારેય કોઈ બોમ્બ વિસ્ફોટની ઘટનામાં સંડોવાયું નથી. મીડિયા અને ચોક્કસ રાજકીય દળોએ તેને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. કોઈને દોષિત ઠેરવવા માટે, આરોપો સાબિત કરવા આવશ્યક છે; પ્રચાર કોઈને ગુનેગાર બનાવતો નથી."
'મારો દાઉદ સાથે કોઈ સંબંધ નથી'
તેને આગળ કહ્યું, "મારે દાઉદ સાથે કોઈ લેવાદેવા નથી. કોઈકનું નામ ચોક્કસ લેવામાં આવ્યું હતું. પણ તમે જુઓ, તેણે કોઈ બોમ્બ વિસ્ફોટ કર્યા નથી. તેને દેશમાં કોઈ રાષ્ટ્રવિરોધી કામ કર્યું નથી. જે વ્યક્તિ સાથે મારું નામ જોડાયેલું છે તેણે ક્યારેય બોમ્બ વિસ્ફોટ કર્યો નથી. હું મારા જીવનમાં ક્યારેય દાઉદને મળી નથી."





















