Home National Mallikarjun Kharge Rajya Sabha Election 2026 Retirement Speculation

રાજનીતિમાંથી સંન્યાસ લેશે મલ્લિકાર્જુન ખડગે? : કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદને આપ્યા સંકેત

Mallikarjun Kharge
Published by: Viral Patel
Last Updated: Jun 13, 2026, 05:03 AM IST

Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કદાચ રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો વિચાર કરી રહ્યા છે. વિતેલા દિવસે તેમના એક નિવેદનથી આ સંકેત મળ્યા છે. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભા માટે કર્ણાટકથી બિનહરીફ સાંસદ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી અધિકારી પાસેથી પ્રમાણપત્ર મળ્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી અને રાજ્યસભા માટે ચૂંટવા બદલ કોંગ્રેસના સાંસદોનો આભાર માન્યો હતો. તેમણે સોનિયા ગાંધી પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો અને પોતાની રાજકીય ઇનિંગને લઈને મોટું નિવેદન આપ્યું.

'આતંકના આકાઓ સુધી સિંધુનું પાણી પહોંચવા નહીં દઈએ' : પાકિસ્તાનને લઈને રાજનાથ સિંહની કડક ચેતવણી

મલ્લિકાર્જુન ખડગેએ આભાર વ્યક્ત કર્યો

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે, "આ મારી ૧૩મી ચૂંટણી છે. કોંગ્રેસે મને જનતાની સેવા કરવાની તક આપી છે. આ માટે હું સોનિયા ગાંધીનો આભારી છું. મને મારી પાર્ટી અને મારા લોકો પર ઘણો ગર્વ છે. હું એ તમામ પાર્ટી કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવું છું જેમણે મારું સમર્થન કર્યું, ખાસ કરીને મારા ધારાસભ્ય તરીકેના કાર્યકાળ અને સંસદીય કાર્યકાળમાં સહયોગ આપ્યો. કર્ણાટકની જનતા, પાર્ટીના સભ્યો અને મીડિયાનો આભારી છું, કારણ કે તમે બધાએ મને સાથ આપ્યો, જેથી હું સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા લોકપ્રતિનિધિઓમાંથી એક બની શક્યો."

બીજી વખત રાજ્યસભા માટે ચૂંટાયા

તમને જણાવી દઈએ કે, કર્ણાટકથી કોંગ્રેસના ૮૩ વર્ષીય અનુભવી નેતા ખડગે બીજી વખત રાજ્યસભા માટે ચૂંટાયા છે. ખડગે હાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે. ઓક્ટોબર ૨૦૨૨થી તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ના અધ્યક્ષ છે. ફેબ્રુઆરી ૨૦૨૧થી તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતાના પદ પર કાર્યરત છે. ૨૦૦૯ અને ૨૦૧૪ સુધી તેઓ કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. ૧૯૭૨થી ૨૦૦૯ સુધી સતત તેઓ ૯ વખત કર્ણાટકથી ધારાસભ્ય રહ્યા હતા અને તેમના નામે આ અજેય રેકોર્ડ નોંધાયેલો છે.

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ખળભળાટ : વહેલી સવારે અભિષેક બેનર્જીના ઘરે પહોંચી પોલીસ, ખબર મળતાં જ મમતા પણ દોડી આવ્યા

મનમોહન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે

મલ્લિકાર્જુન ખડગે પોતાની રાજકીય કારકિર્દીમાં મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી, રેલ મંત્રી તેમજ સામાજિક ન્યાય અને સત્તાધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના પુત્ર પ્રિયાંક ખડગે કર્ણાટકની વર્તમાન ડી.કે. શિવકુમાર (સિદ્ધારમૈયા) સરકારમાં મંત્રી પદ પર કાર્યરત છે. તેમના જમાઈ રાધાકૃષ્ણ તેમની લોકસભા સંસદીય બેઠક ગુલબર્ગાથી સાંસદ છે. મલ્લિકાર્જુન ખડગે બૌદ્ધ ધર્મના અનુયાયી છે અને આ ધર્મમાં તેમની ઊંડી આસ્થા છે. ગુલબર્ગામાં ‘બુદ્ધ વિહાર’નું નિર્માણ કરાવી રહેલી સંસ્થા સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટના તેઓ સ્થાપક અધ્યક્ષ પણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now