એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ પર મની લોન્ડરિંગ કેસમાં મોટો પ્રહાર કર્યો છે. 31 ઓક્ટોબર, 2025ના રોજ PMLA કાયદા હેઠળ આ કાર્યવાહીમાં ગ્રુપની 40થી વધુ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત ₹3,084 કરોડ આંકવામાં આવી છે.
જપ્ત મિલકતોમાં શું સામેલ છે?
મુંબઈના પાલી હિલમાં અનિલ અંબાણીનું આલીશાન નિવાસસ્થાન.
દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કાંચીપુરમ અને પૂર્વ ગોદાવરીમાં અનેક જમીન પ્લોટ, ઓફિસ સ્પેસ અને ફ્લેટ્સ.
કેસની માહિતી
ભંડોળનો દુરુપયોગ કેવી રીતે થયો?
EDની તપાસ અનુસાર, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL)એ જાહેર અને બેંકો પાસેથી મેળવેલા નાણાંનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો. 2017-2019 વચ્ચે યસ બેંકે RHFLમાં ₹2,965 કરોડ અને RCFLમાં ₹2,045 કરોડનું રોકાણ કર્યું, જે પાછળથી ડૂબી ગયું. SEBI નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેર ભંડોળને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ગ્રુપ કંપનીઓમાં ટ્રાન્સફર કરાયું, ત્યારબાદ યસ બેંક દ્વારા રૂટ કરીને રોકાણ કરવામાં આવ્યું.
EDના મુખ્ય આરોપો
કોર્પોરેટ લોનને ગ્રુપની પોતાની કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવી.
લોન એક જ દિવસમાં મંજૂર, દસ્તાવેજ અને તપાસ વગર આપવામાં આવી; કેટલીક તો મંજૂરી પહેલાં જ વિતરિત. દેવાદારો આર્થિક રીતે નબળા હતા અને લોનનો ઉપયોગ જણાવેલ હેતુ માટે થયો નહીં.
આ આયોજિત છેતરપિંડી હતી, જેમાં મોટા પાયે ભંડોળ ડાયવર્ઝન થયું.
RCom કેસમાં વધુ તપાસ
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom)માં ₹13,600 કરોડથી વધુના દુરુપયોગના આરોપો વચ્ચે EDની તપાસ તીવ્ર બની છે. આમાં ગ્રુપ કંપનીઓમાં ડાયવર્ટેડ રકમ અને છેતરપિંડીયુક્ત લોનનો સમાવેશ થાય છે. EDનું કહેવું છે કે આ કાર્યવાહી જાહેર ભંડોળ – જે સામાન્ય લોકોનું છે પુનઃપફળ કરવામાં મદદ કરશે.




















