Home Religion Main Door Shoe Rack Vastu Right Direction Tips Gujarati

Vastu Tips: ઘરના મુખ્ય દરવાજે પાસે રાખેલું છે શૂ રૅક? : થઈ શકે છે આ 3 મોટા નુકસાન

Vastu Tips
Published by: Viral Patel
Last Updated: May 29, 2026, 12:25 PM IST

Vastu Tips: ઘરમાં પ્રવેશતા જ સૌથી પહેલાં નજર ક્યાં જાય છે? મોટાભાગના ઘરોમાં મુખ્ય દરવાજા પાસે રાખેલા શૂ રેક અથવા જૂતાં-ચપ્પલ પર. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ સામાન્ય લાગતી આદત ઘરની ઊર્જા, આર્થિક સ્થિતિ અને પારિવારિક વાતાવરણ પર અસર કરી શકે છે. ખાસ કરીને જો શૂ રેક ખોટી દિશામાં અથવા મુખ્ય પ્રવેશદ્વારની સામે રાખવામાં આવ્યો હોય તો તેને વાસ્તુ દોષનું કારણ માનવામાં આવે છે.

મહેસાણાના આ ગામમાં પાણી માટે હાહાકાર : 4 મહિનાથી બંધ એકમાત્ર બોર, 3000 લોકો અને 740 પશુઓ તરસ્યા

ઘરનું મુખ્ય દ્વાર વાસ્તુ શાસ્ત્રમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. માન્યતા મુજબ આ જ માર્ગથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ-સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. તેથી મુખ્ય દરવાજાની આસપાસની વ્યવસ્થા, સ્વચ્છતા અને વસ્તુઓની ગોઠવણી પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. તાજેતરમાં વાસ્તુ નિષ્ણાતો દ્વારા ફરી એકવાર ધ્યાન દોરવામાં આવ્યું છે કે ઘણા લોકો જગ્યા બચાવવા માટે મુખ્ય દરવાજા પાસે જ શૂ રેક મૂકી દે છે. પરંતુ આ ગોઠવણી કેટલાક વાસ્તુ નિયમો સાથે સુસંગત નથી માનવામાં આવતી.

મુખ્ય દરવાજા પાસે શૂ રેક રાખવાથી શું નુકસાન થઈ શકે?

વાસ્તુ માન્યતાઓ અનુસાર મુખ્ય પ્રવેશદ્વારની સામે અથવા ખૂબ નજીક જૂતાં-ચપ્પલનો ઢગલો અથવા શૂ રેક રાખવાથી ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ અવરોધિત થઈ શકે છે. પરિણામે ઘરમાં આર્થિક પ્રગતિ ધીમી પડતી હોવાની માન્યતા છે. બીજી મહત્વપૂર્ણ બાબત પારિવારિક વાતાવરણ સાથે જોડાયેલી છે. જૂતાં-ચપ્પલ બહારની ધૂળ, ગંદકી અને નકારાત્મક તત્વો સાથે જોડાયેલા માનવામાં આવે છે. જો તે મુખ્ય પ્રવેશદ્વાર પાસે અવ્યવસ્થિત રીતે પડેલા રહે તો ઘરમાં ચીડચીડાપણું, તણાવ અને નાના-મોટા વિવાદો વધવાની શક્યતા હોવાનું વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવે છે. વાસ્તુના કેટલાક સિદ્ધાંતો અનુસાર ખોટી જગ્યાએ રાખવામાં આવેલ શૂ રેક કારકિર્દી અને વ્યવસાયિક પ્રગતિ પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે. ખાસ કરીને પ્રવેશદ્વારની સામે ગોઠવાયેલા જૂતાંને અવરોધક તત્વ તરીકે જોવામાં આવે છે.

વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ પર SOGનો સપાટો : કારમાંથી ગાંજાના જથ્થા સાથે ચાલક ઝડપાયો આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની આશંકા: સઘન પૂછપરછ શરૂ

શૂ રેક માટે કઈ દિશા સૌથી સારી માનવામાં આવે છે?

વાસ્તુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ પશ્ચિમ (West) અને દક્ષિણ-પશ્ચિમ (South-West) દિશા શૂ રેક માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ (North-West) દિશામાં પણ તેને ગોઠવી શકાય છે. આ દિશાઓ ભારે વસ્તુઓ અને બહારથી આવતી ઊર્જાના સંતુલન માટે અનુકૂળ ગણાય છે. જો ઘરની રચના એવી હોય કે અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોય, તો પણ શૂ રેકને મુખ્ય દરવાજાની બિલકુલ સામે મૂકવાની જગ્યાએ બાજુની દિવાલ સાથે ગોઠવવાની સલાહ આપવામાં આવે છે. દરવાજાના ફ્રેમથી થોડું અંતર જાળવવું પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કઈ દિશાઓમાં શૂ રેક ન રાખવો જોઈએ?

વાસ્તુ મુજબ ઉત્તર (North), પૂર્વ (East) અને ખાસ કરીને ઉત્તર-પૂર્વ (North-East અથવા ઈશાન કોણ) દિશામાં શૂ રેક રાખવો અશુભ માનવામાં આવે છે. ઈશાન કોણને પવિત્ર ઝોન તરીકે જોવામાં આવે છે અને અહીં જૂતાં-ચપ્પલ અથવા ગંદકી સાથે સંબંધિત વસ્તુઓ રાખવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઘણા વાસ્તુ નિષ્ણાતો માને છે કે ઈશાન કોણમાં શૂ રેક ગોઠવવાથી ઘરની શાંતિ અને સકારાત્મકતા પર નકારાત્મક અસર પડી શકે છે.

શૂ રેક પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

માત્ર દિશા જ નહીં પરંતુ શૂ રેકની ડિઝાઇન પણ મહત્વ ધરાવે છે. વાસ્તુ અનુસાર ખુલ્લા શૂ સ્ટેન્ડની જગ્યાએ બંધ દરવાજાવાળી કેબિનેટ વધુ સારી માનવામાં આવે છે. તેનાથી જૂતાં દેખાતા નથી અને દુર્ગંધ પણ ફેલાતી નથી.

તે ઉપરાંત શૂ રેક ખૂબ ઊંચો ન હોવો જોઈએ.

  • લાકડું અથવા મેટલથી બનેલા રેકને વધુ યોગ્ય માનવામાં આવે છે.

  • જૂતાં ગોઠવેલા અને સ્વચ્છ રાખવા જોઈએ.

  • મુખ્ય પ્રવેશદ્વારની સામે સીધી લાઇનમાં રેક ન મૂકવો જોઈએ.

  • જૂના અને તૂટેલા જૂતાં કેમ દૂર કરવા જોઈએ?

ગીર પંથકમાં સિંહોના શંકાસ્પદ મોતથી ખળભળાટ : બચાવ માટે જસાધાર પહોંચી જામનગર 'વનતારા'ની ટીમ, સરકાર સતર્ક

ઘણા ઘરોમાં વર્ષો જૂના અથવા ઉપયોગમાં ન આવતા જૂતાં શૂ રેકમાં જ પડ્યા રહે છે. વાસ્તુ માન્યતાઓ મુજબ આવી વસ્તુઓ અનાવશ્યક નકારાત્મક ઊર્જા જાળવી રાખે છે. તેથી જે જૂતાં હવે ઉપયોગમાં નથી તેને સમયસર દૂર કરી દેવા જોઈએ. આ ઉપરાંત શૂ રેકની અંદર કપૂર અથવા લવિંગ રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. માન્યતા છે કે તે દુર્ગંધ ઘટાડવામાં અને વાતાવરણને વધુ સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now