Speaker Om Birlas claim: લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે (5 ફેબ્રુઆરી 2026) સદનમાં એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે બુધવારે (4 ફેબ્રુઆરી) પીએમ નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપવાનું ભાષણ છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવ્યું હતું, કારણ કે તેમને નિશ્ચિત માહિતી મળી હતી કે કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદો દ્વારા અપ્રત્યાશિત અને અપ્રિય ઘટના ઘટાડવાની શક્યતા હતી.
જાતે પીએમ મોદીને સદનમાં ન આવવાની વિનંતી કરી
સ્પીકરે કહ્યું કે તેમણે જાતે પીએમ મોદીને સદનમાં ન આવવાની વિનંતી કરી હતી, જેથી સંસદની પરંપરાઓ અને લોકશાહીની ગરિમા જળવાઈ રહે. તેમણે ઉમેર્યું કે જો પીએમ આવ્યા હોત તો પીએમ ઘેરાવ જેવી સ્થિતિ ઊભી થઈ શકી હોત અને કોઈ અનિચ્છનીય ઘટના બની શકી હોત, જેનાથી સંસદના ઇતિહાસમાં કાળો ડાઘ લાગ્યો હોત. આ ઘટના બુધવારે વિપક્ષી સાંસદોના તીવ્ર હંગામા અને સૂત્રોચ્ચારને કારણે બની હતી, જેમાં કેટલાક સાંસદો સ્પીકરના કાર્યાલયમાં પણ પહોંચી ગયા હતા. આ કારણે ધ્વનિ મતથી પ્રસ્તાવ પસાર કરીને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
વિપક્ષની પ્રતિક્રિયા
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આને લઈને પીએમ મોદી પર પ્રહાર કર્યો અને કહ્યું કે "પીએમ સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે. તેમને ગૃહમાં આવવાની હિંમત નહોતી કારણ કે ત્રણ મહિલા સાંસદો સામે ઊભા હતા. સરકાર ચર્ચા કરવા દેવા માંગતી નથી."કોંગ્રેસે રાહુલ ગાંધીને તેમનું ભાષણ પૂર્ણ કરવા પર આગ્રહ રાખ્યો છે અને કહ્યું છે કે જ્યાં સુધી વિપક્ષના નેતાને બોલવા નહીં દેવાય ત્યાં સુધી પીએમને બોલવા નહીં દે.પીએમ મોદી આજે રાજ્યસભામાં આ પ્રસ્તાવ પર ભાષણ આપવાના છે. આ ઘટનાએ સંસદીય કાર્યવાહીમાં અપ્રત્યાશિત તણાવ વધાર્યો છે.




















