Lok Sabha: લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા 'નો કોન્ફિડન્સ મોશન' (અવિશ્વાસ પ્રસ્તાવ)ને ભારે સૂત્રોચ્ચાર વચ્ચે ધ્વનિ મતથી ફગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે ઓમ બિરલા જ લોકસભાના સ્પીકર પદે યથાવત રહેશે.
વિપક્ષ દ્વારા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
ગૃહમાં હંગામા અને સૂત્રોચ્ચાર વચ્ચે આ પ્રસ્તાવ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ.
બહુમતી સભ્યોના સમર્થન સાથે ધ્વનિ મત દ્વારા આ પ્રસ્તાવને રદ કરવામાં આવ્યો હતો.



















