તેજ પ્રતાપ યાદવની કથિત પ્રેમિકા અનુષ્કા યાદવના ભાઈ આકાશ યાદવે પણ આ અફેર પર પ્રતિક્રિયા આપી છે. આકાશે સોમવારે પટનામાં દાવો કર્યો હતો કે તેજ પ્રતાપ યાદવ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે અને આ સમગ્ર પ્રકરણમાં તેજસ્વી યાદવની આસપાસના લોકો કાવતરામાં સામેલ છે. આ દરમિયાન તેમણે લાલુ યાદવ અને તેજ પ્રતાપની તુલના ફિલ્મ 'સૂર્યવંશમ'ના પાત્રો ઠાકુર ભાનુ પ્રતાપ અને હીરા ઠાકુર સાથે કરી.
આકાશ યાદવે કહ્યું,'આવતો સમય તેજસ્વી યાદવ માટે મુશ્કેલ હોઈ શકે છે. લાલુ અને તેજસ્વી પાસે હજુ પણ તક છે, જો તેઓ ઈચ્છે તો તેઓ પરિસ્થિતિને સંભાળી શકે છે. પરંતુ જો પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય, તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પરિવારને બચાવી શકશે નહીં.'
'તેજ પ્રતાપ સાથે હંમેશા અન્યાય થયો છે'
આકાશે કહ્યું, 'તેજસ્વીની આસપાસના લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે. તેજ પ્રતાપ સાથે હંમેશા અન્યાય થયો છે. લાલુ પ્રસાદ યાદવ સમાજના એક આદરણીય વ્યક્તિ છે. અનુષ્કાનું જે ચરિત્ર હનન થઈ રહ્યું છે, લાલૂએ તાત્કાલિક તેણે રોકવી જોઈએ.
અનુષ્કાના ચરિત્ર હનનને રોકવી જોઈએ
તેમણે એમ પણ કહ્યું કે તેજ પ્રતાપ અને અનુષ્કાના લગ્ન થયા કે નહીં તે અંગે તેઓ કોઈ ટિપ્પણી નહીં કરે, પરંતુ અનુષ્કા પર થઈ રહેલા ચરિત્ર હનનની તાત્કાલિક બંધ થવી જોઈએ. તેમણે કહ્યું, 'અમે ન્યાય વિશે નહીં, પરંતુ પ્રતિષ્ઠા બચાવવા વિશે વાત કરી રહ્યા છીએ.'
'સૂર્યવંશમ' ના પાત્રો સાથે સરખામણી
તેમના નિવેદનમાં આકાશ યાદવે લાલુ પ્રસાદ યાદવની તુલના ફિલ્મ 'સૂર્યવંશમ' ના પાત્રો સાથે કરી અને કહ્યું, 'શું લાલુ યાદવ પોતાને મુઘલ-એ-આઝમ અથવા ઠાકુર ભાનુ પ્રતાપ તરીકે જોવા માંગે છે. જો આવું થશે તો એક દિવસ હીરા ઠાકુરનો પણ જન્મ થશે.'






