હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં, બોલીવુડની અભિનેત્રી કૃતિ સેનને એંક્ઝાયટી અને તે તેને કેવી રીતે મેનેજ કરે છે તે વિષયે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામનું એટલું પ્રેશર છે તે મેન્ટલ હેલ્થને અસર કરે છે. તેમણે એ પણ શેર કર્યું કે તેમને વાળ અંગે પાર્ટીશન એંક્ઝાયટી હતી. તેઓ જણાવે છે કે તેમના મિત્રો અને પરિવાર સાથે આ વિષયેવાત કરવાથી તેને વધુ શાંત થવામાં મદદ મળી શકે છે.
100માંથી 88 લોકો એંક્ઝાયટીથી પીડાય છે.
એક સ્ટડી અનુસાર ભારતમાં દર 100માંથી 88 લોકો એંક્ઝાયટીથી પીડાય છે. તે એક પ્રકારનો માનસિક રોગ છે, જે શરીરને માનસિક અને શારીરિક રીતે અસર કરી શકે છે. કામ પર અથવા ઘરે વધુ પડતો તણાવ તમને માનસિક અને શારીરિક રીતે બીમાર કરી શકે છે. તેનાથી પાચન સંબંધીત સમસ્યાઓ પણ થઈ શકે છે. તે એક પ્રકારનો માનસિક રોગ છે, જે ઊંઘ, સ્નાયુઓમાં તનાવ, પાચન સમસ્યાઓ, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને ગભરાટ પેદા કરે છે.
દેશની 88% વસ્તી
એક અભ્યાસ અનુસાર દેશમાં લગભગ 88% લોકો કોઈકને કોઈક પ્રકારની ચિંતાની સપડાયા છે. આનો અર્થ એ છે કે દર 100 લોકોમાંથી 88 લોકો આ એંક્ઝાયટી પીડાય છે. આને અવોઈડ કરવા માટે, તમે 3-3-3નો નિયમ અપનાવી શકો છો. આ નિયમમાં, તમારે કેટલીક બાબતોને તમારા મનમાં લાવીને તેના પર કામ કરવું પડશે અને જે ફેરફારો થાય છે તે જોવું પડશે. તમારે ફક્ત ત્રણ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જુઓ, સાંભળો અને કરો. તે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એંક્ઝાયટીને ટાળવામાં મદદ કરે છે.



















