સરકારે ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC)ને 'નવરત્ન' નો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે. 'નવરત્ન' નો અર્થ છે કે તેને હવે કેટલાક વિશેષ અધિકારો મળશે, જે તેને વધુ સ્વતંત્રતા સાથે કામ કરવાની મંજૂરી આપશે. અગાઉ IRFC આ શ્રેણીમાંથી બહાર હતી. હવે તે ભારતીય રેલવે સાથે સંકળાયેલું 26મું 'નવરત્ન' બની ગયું છે.
નવરત્ન એટલે શું?
ઈન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશને ભારતીય રેલવેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તેનું કામ રેલવેને નાણાકીય સહાય પૂરી પાડવાનું છે જેથી રેલવે પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ શકે. નાણાકીય વર્ષ 2023-24માં IRFCએ ₹26,644 કરોડનું ટર્નઓવર કર્યું હતું અને ₹6,412 કરોડનો નફો (PAT) મેળવ્યો હતો. તેની કુલ સંપત્તિ 49,178 કરોડ રૂપિયા છે. 'નવરત્ન "નો દરજ્જો IRFCને પોતાના નિર્ણયો લેવાની વધુ સ્વતંત્રતા આપશે. આ સરકારી કંપની હવે રેલવેના વિકાસ માટે વધુ સારી રીતે કામ કરી શક્શે અને વધુ અસરકારક રીતે કામ કરી શક્શે. તેનાથી ભારતીય રેલવે માટે વધુ સંસાધનો એકત્ર કરવામાં અને તેના વિસ્તરણમાં મદદ મળશે.
રેલવે મંત્રીએ અભિનંદન પાઠવ્યા
રેલવે મંત્રીએ આ સિદ્ધિ બદલ IRCTC અને IRFCની ટીમને અભિનંદન પાઠવ્યા છે. આઈઆરસીટીસી અને આઈઆરએફસીની ટીમને નવરત્નનો દરજ્જો આપવા બદલ અભિનંદન.
Thank you, Sir. The achievement of Navratna status for IRCTC is a testament to your invaluable guidance and inspiration. With this recognition comes greater responsibility and IRCTC remains steadfast in its commitment to enhancing services and delivering excellence to its valued… https://t.co/z3Cqa7XnHg
— IRCTC (@IRCTCofficial) March 3, 2025
આઈઆરસીટીસીને નવરત્ન કંપનીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.
નવરત્નનો દરજ્જો મળ્યા પછી આઈઆરસીટીસી હવે કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ કંપનીઓમાં 25મી નવરત્ન કંપની બની ગઈ છે. IRCTCનું વાર્ષિક ટર્નઓવર 4,270.18 કરોડ રૂપિયા છે. 2020-24 માં તેની નેટવર્થ ₹3,229.97 કરોડ હોવાનો અંદાજ છે.





