માહિતી અને પ્રસારણ મંત્રાલયે શનિવારે 25 એપ્રિલે તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું જીવંત પ્રસારણ ના કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના પરિણામે સંરક્ષણ બાબતો પર રિપોર્ટિંગના પગલે આપવામાં આવી છે. જેમાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
Ministry of Information and Broadcasting issues advisory to all Media channels to refrain from showing live coverage of defence operations and movement of security forces in the interest of national security. pic.twitter.com/MQjPvlexdr
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 26, 2025
સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, તમામ મીડિયા પ્લેટફોર્મ, સમાચાર એજન્સીઓ અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સંરક્ષણ અને અન્ય સુરક્ષા સંબંધિત કામગીરી બાબતો પર રિપોર્ટિંગ કરતી વખતે અત્યંત જવાબદારીનો ઉપયોગ કરે અને હાલના કાયદાઓ અને નિયમોનું કડકપણે પાલન કરે."
તેમાં કહેવામાં આવ્યું છે કે, "ખાસ કરીને: સંરક્ષણ કામગીરી અથવા હિલચાલને લગતી 'સૂત્રો-આધારિત' માહિતી પર કોઈ રીઅલ-ટાઇમ કવરેજ, વિઝ્યુઅલ્સનું પ્રસારણ અથવા રિપોર્ટિંગ ના કરે"





