ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે કચ્છના રણની જમીન પાકિસ્તાનને આપી દીધી હતી. આ ઘટના 1968માં બની હતી. તે સમયે દેશમાં ઇન્દિરા ગાંધીની સરકાર હતી. નિશિકાંતે એમ પણ કહ્યું હતું કે 1965ના યુદ્ધ પછી મામલો ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો હતો.
નિશિકાંત દુબેએ બીજું શું કહ્યું?
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર કોંગ્રેસ અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે 1965માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું, પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે 1968માં કચ્છના રણ વિસ્તારનો 828 ચોરસ કિલોમીટર એરિયા પાકિસ્તાનને આપી દીધો હતો.
નિશિકાંત દુબેએ પોતાના દાવાને સાબિત કરવા માટે એક દસ્તાવેજની નકલ પણ શેર કરી છે. તેમાં ઉલ્લેખ છે કે 1968માં ભારતે કચ્છના રણ વિસ્તારનો 828 ચોરસ કિલોમીટર પાકિસ્તાનને આપી દીધો હતો. નિશિકાંત દુબેએ ઇન્દિરા ગાંધીને "આયરન લેડી" કહેવા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તેમણે સંસદના વિરોધ છતાં ભારતનો એક ભાગ પાકિસ્તાનને સોંપી દીધો હતો.
आज की कहानी बहुत ही दर्दनाक है @INCIndia पार्टी ने 1965 का युद्ध जीतने के बाद गुजरात के रन ऑफ कच्छ का 828 SQ किलोमीटर पाकिस्तान को 1968 में दे दिया ।भारत पाकिस्तान के मुद्दे को अंतरराष्ट्रीय मंच पर लाए, मध्यस्थ बनाया,यूगोस्लाविया के वकील अली बाबर को हमने नियुक्त किया ।पूरी संसद… pic.twitter.com/htWRsvHj2C
— Dr Nishikant Dubey (@nishikant_dubey) May 23, 2025
નિશિકાંત દુબેએ પોતાના X હેન્ડલ પર લખ્યું, 'આજની કહાની ખૂબ જ પીડાદાયક છે. 1965નું યુદ્ધ જીત્યા પછી કોંગ્રેસ પાર્ટીએ 1968માં ગુજરાતના કચ્છના રણનો 828 ચોરસ કિલોમીટર વિસ્તાર પાકિસ્તાનને આપી દીધો. અમે ભારત-પાકિસ્તાન મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવ્યા, મધ્યસ્થ બનાવ્યા, યુગોસ્લાવિયાના વકીલ અલી બાબરને નિયુક્ત કર્યા. આખી સંસદે તેનો વિરોધ કર્યો, પરંતુ ઇન્દિરા ગાંધી આયર્ન લેડી હતી, તેમણે ડરથી આપણા ભાગના હિસ્સાને હરાજી કરી. આ આયર્ન લેડીનું સત્ય છે. કોંગ્રેસનો હાથ હંમેશા પાકિસ્તાન સાથે છે.'






