Home Sports Indian Teams Fierce Batsman Yashasvi Jaiswals Health Deteriorated During Tournament He Hospitalized After Smat 2025 Match

મોટા સમાચાર : ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમના આ ખુંખાર બેટ્સમેનની તબિયત બગડી, હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ

મોટા સમાચાર
Published by: Offbeat Team
| Last Updated: Dec 17, 2025, 04:42 AM IST

Sports News: ક્રિકેટ જગતથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ જ્યાં ક્રિકેટના ચાહકો IPL ઓક્શનમાં વ્યસ્ત હતા, તો બીજી તરફ સ્ટાર ભારતીય ઓપનરને અચાનક જ હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. 16મી ડિસેમ્બરની બપોરથી દુબઈમાં આઈપીએલ 2026નું મિનિ ઓક્શન ચાલી રહ્યું હતું, જે દરમિયાન બીજી તરફ કેટલાક ખેલાડીઓ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (SMAT)માં ચમકી રહ્યા હતા, જેમાં એક ખેલાડી યશસ્વી જયસ્વાલ પણ હતો જેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જયસ્વાલ SMATમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે અને 16મીએ રમાયેલી મેચ મુંબઈએ જીતી લીધી હતી. જો કે, ભારતીય ટીમના સ્ટાર બેટર યશસ્વી જયસ્વાલની ટુર્નામેન્ટ વચ્ચે જ અચાનક તબિયત ખરાબ થઈ હતી.

જયસ્વાલને હોસ્પિટલમાં દાખલ કરાયા

મળતી માહિતી અનુસાર, ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરાઇટિસથી હોસ્પિટલની સમસ્યા ઉભી થવાના કારણે દાખલ કરવામાં આવ્યો હતો. 16 ડિસેમ્બરે દેશ ઇન્ડિયન પ્રીમિયર લીગના મિનિ ઓક્શનથી વ્યસ્ત હતો, અને ખેલાડીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પુણેમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સુપર લીગ મેચમાં મુંબઈએ રાજસ્થાનને હરાવ્યાના થોડા કલાકો પછી આ ઘટના બની હતી. મેચમાં જયસ્વાલે 16 બોલમાં 15 રન બનાવ્યા હતા.

અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન કરાવ્યા

મહત્વનું છે કે, મેચ પછી જયસ્વાલને પેટમાં તીવ્ર દુખાવો થયો હતો, જેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ હતી. ત્યારબાદ તેને પિંપરી-ચિંચવડની આદિત્ય બિરલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોકટરોએ તેને તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ હોવાનું નિદાન કર્યું હતું. હોસ્પિટલમાં જયસ્વાલની સારવાર સાથે અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, ડોકટરોએ તેમને તેમની દવા ચાલુ રાખવા અને આરામ કરવાની સલાહ આપી છે.

મેચમાં જયસ્વાલે 16 બોલમાં 15 રન બનાવ્યા

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં, જયસ્વાલે ત્રણ મેચમાં 48.33ની સરેરાશ અને 168.6ના સ્ટ્રાઇક રેટથી 145 રન બનાવ્યા છે. ઘરેલુ T20 ટુર્નામેન્ટ પહેલા, જયસ્વાલે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ભાગ લીધો હતો, જેમાં 78ની પ્રભાવશાળી એવરેજથી 156 રન બનાવ્યા હતા. મેચમાં, અજિંક્ય રહાણેના અણનમ 72 રન અને સરફરાઝ ખાનના 22 બોલમાં 73 રનના કારણે, મુંબઈએ મંગળવારે પુણેમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સુપર લીગ ગ્રુપ B મેચમાં રાજસ્થાનને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. રહાણેના 72 રન 41 બોલમાં આવ્યા હતા, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

આગામી ODI સીરીઝની તૈયારી પર પડશે અસર!

જણાવી દઈએ કે, ભારતની આગામી ODI સીરીઝ જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે યોજાવાની છે. આ પહેલા યશસ્વી જયસ્વાલ પોતાને સારા ફોર્મમાં રાખવા માંગશે. તેં ટાર્ગેટ ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બચાવવાનું પણ હશે, કારણ કે ગિલ પણ હવે ODI ટીમમાં પાછો ફરશે. એવામાં જયસ્વાલ 24 ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં ભાગ લઈ શકે છે. રોહિત શર્મા પણ વિજય હજારે ટ્રોફીમાં કેટલીક મેચ રમવાના છે અને જયસ્વાલ પણ આવું જ કરી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે