Indian team squad announced for T20 series against South Africa: BCCI એ સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની T20I સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. વાઇસ-કેપ્ટન શુભમન ગિલ ટીમમાં પાછો ફર્યો છે. ગરદનની ઈજાને કારણે તે સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝનો ભાગ ન હતો. T20 ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I સીરિઝ 9 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન રમાશે.
ચાર સ્પિનરનો સમાવેશ
BCCI એ 9 ડિસેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની T20 સીરિઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. સિલેક્ટર્સએ 2025 એશિયા કપમાં રમનાર ટીમની પસંદગી કરી છે. વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ ચાર સ્પિનર છે. વધુમાં, 15 સભ્યોની ટીમમાં ત્રણ ફાસ્ટ બોલરનો સમાવેશ થાય છે: જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા. બેટિંગમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, વાઇસ-કેપ્ટન શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. જીતેશ શર્મા અને સંજુ સેમસન બે વિકેટકીપર છે.
સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરિઝ માટે ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદર.
ભારત-સાઉથ આફ્રિકા T20 સીરિઝનું શેડ્યૂલ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચ 9 ડિસેમ્બરે કટકમાં રમાશે. બીજી T20 મેચ 11 ડિસેમ્બરે નવા ચંદીગઢમાં અને ત્રીજી T20 મેચ 14 ડિસેમ્બરે ધર્મશાળામાં રમાશે. ચોથી T20 મેચ 17 ડિસેમ્બરે લખનૌમાં અને પાંચમી અને અંતિમ T20 મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.





















