Home Utilities Indian Railways New Chart Preparation Rules 2026 Ticket Cancellation Refund Policy

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : હવે 18 કલાક પહેલા તૈયાર થશે ચાર્ટ, બોર્ડિંગ સ્ટેશન બદલવા અને રિફંડના નિયમોમાં થયો મોટો ફેરફાર

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર
Published by: Nirali Gohil
| Last Updated: Mar 24, 2026, 09:20 AM IST

નવી દિલ્હી: ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા લાખો મુસાફરો માટે રેલવે મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રેલવેએ ટ્રેન પ્રસ્થાનના ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ધરખમ ફેરફાર કર્યો છે, જે અત્યાર સુધીના 4 કલાકના સમયગાળાને વધારીને 9 થી 18 કલાક સુધી કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન કરવા માટે પૂરતો સમય આપવાનો અને છેલ્લી ઘડીએ થતી હાલાકી ઘટાડવાનો છે. અત્યાર સુધી મુસાફરોને તેમની સીટ કન્ફર્મ થઈ છે કે, નહીં તેની જાણ ટ્રેન ઉપડવાના માત્ર 4 કલાક પહેલા થતી હતી, જેના કારણે જો ટિકિટ વેઈટિંગમાં રહે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી મુશ્કેલ બનતી હતી. પરંતુ હવે, ચાર્ટ વહેલા તૈયાર થવાને કારણે મુસાફરો પાસે 18 કલાક જેટલો સમય હશે, જેથી તેઓ અન્ય ટ્રેન કે પરિવહનના સાધનોની વ્યવસ્થા કરી શકશે. આ સાથે જ રેલવેએ ટિકિટ કેન્સલેશન અને સુરક્ષા માટે પણ નવા કડક નિયમો અમલી બનાવ્યા છે.

બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે મળશે વધુ સુવિધા

નવા નિયમો મુજબ, મુસાફરો હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા પણ પોતાનું બોર્ડિંગ સ્ટેશન (જ્યાંથી ટ્રેનમાં બેસવાનું છે તે સ્ટેશન) ડિજિટલી બદલી શકશે. આ સુવિધા ખાસ કરીને એવા શહેરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જ્યાં એક જ શહેરમાં એકથી વધુ મોટા રેલવે સ્ટેશનો આવેલા છે. આ ઉપરાંત, કાઉન્ટર ટિકિટ ધરાવતા મુસાફરો ટ્રેન ઉપડવાની અડધી કલાક પહેલા સુધી પોતાનો મુસાફરી ક્લાસ પણ અપગ્રેડ કરાવી શકશે.

દલાલો પર લગામ: આધાર-આધારિત OTP ફરજિયાત

ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓ રોકવા માટે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રેલવેએ આશરે 3 કરોડ નકલી એકાઉન્ટ્સ અને મોટી સંખ્યામાં બ્રોકર્સને સિસ્ટમમાંથી દૂર કર્યા છે. હવે તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત OTP અનિવાર્ય બનાવવામાં આવ્યો છે. સાથે જ, ઈ-ટિકિટ રદ કરવાની પ્રક્રિયાને સ્વચાલિત (Automatic) કરવામાં આવી છે, જેથી TDR ફાઈલ કર્યા વગર રિફંડ સીધું મુસાફરના ખાતામાં જમા થઈ જશે.

ટિકિટ કેન્સલેશનના નવા નિયમો: જાણો ક્યારે કેટલું રિફંડ મળશે?

રેલવેએ રિફંડના નિયમોમાં પણ મોટા ફેરફારો કર્યા છે જે 1 એપ્રિલ થી 15 એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર લાગુ થશે. નવા સ્લેબ મુજબ કપાત નીચે મુજબ રહેશે:

  • 72 કલાક પહેલા: જો તમે ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરો છો, તો માત્ર ન્યૂનતમ ચાર્જ કપાશે અને બાકીનું પૂરું રિફંડ મળશે.

  • 72 થી 24 કલાકની વચ્ચે: આ સમયગાળામાં ટિકિટ કેન્સલ કરવા પર ભાડાના 25% રકમ કાપી લેવામાં આવશે.

  • 24 થી 8 કલાકની વચ્ચે: જો ટ્રેન ઉપડવાના 24 થી 8 કલાક વચ્ચે ટિકિટ રદ કરશો, તો 50% રકમ કાપી લેવામાં આવશે.

  • 8 કલાકથી ઓછો સમય: સૌથી મહત્વનો ફેરફાર અહીં છે. જો ટ્રેન ઉપડવાના 8 કલાકથી ઓછો સમય બાકી હોય અને ટિકિટ કેન્સલ કરવામાં આવે, તો મુસાફરને કોઈ રિફંડ (Zero Refund) મળશે નહીં. અગાઉ આ મર્યાદા 4 કલાકની હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Military School Admission: શું સામાન્ય નાગરિકોના બાળકોને પણ મિલિટ્રી સ્કૂલમાં એડમિશન મળી શકે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને ફીનું માળખું

Military School Admission

WhatsApp પર મેસેજ ડિલીટ કરવાનું ટેન્શન હવે ખતમ!: આવી રહ્યું છે આ જોરદાર ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર મેસેજ ડિલીટ કરવાનું ટેન્શન હવે ખતમ!

LPG કટોકટી વચ્ચે BPCLનો કડક નિયમ જાહેર: સિલિન્ડર માટે કરવું પડશે આ કામ, તરત જાણો નહીં તો પસ્તાશો!

LPG કટોકટી વચ્ચે BPCLનો કડક નિયમ જાહેર

વાહનના ટાયર પર કેમ લખેલા હોય છે 4-અંકના નંબર?: જાણો શું છે અર્થ અને કેટલા જરુરી?

વાહનના ટાયર પર કેમ લખેલા હોય છે 4-અંકના નંબર?