India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ યુદ્ધ જેવી બની ગઈ છે. આવી સ્થિતિમાં શુક્રવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તેના તમામ અધિકારીઓની રજા આગામી આદેશ સુધી રદ કરી દીધી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી આદેશ સુધી તબીબી રજા સિવાય કોઈપણ અધિકારીને કોઈપણ પ્રકારની રજા આપવામાં આવશે નહીં. આ ઉપરાંત અગાઉ મંજૂર કરાયેલી રજા, જો કોઈ હોય તો રદ કરવામાં આવી છે. રજા પર ગયેલા અધિકારીઓએ તાત્કાલિક તેમની ફરજ પર પાછા ફરવું પડશે.
જમ્મુ હાઇ એલર્ટ પર
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તાઓ પર ન આવે, અફવાઓ પર ધ્યાન ન આપે અને પાયાવિહોણા કે અપ્રમાણિત સમાચાર ન ફેલાવે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું, "હું જ્યાં છું ત્યાંથી વિસ્ફોટોના અવાજો, કદાચ ભારે તોપખાનાઓ હવે સાંભળી શકાય છે." આવી સ્થિતિમાં હું દરેકને નમ્રતાપૂર્વક અપીલ કરું છું કે ઘરે રહો અથવા એવી જગ્યાએ રહો જ્યાં તમે થોડા કલાકો માટે સુરક્ષિત રહી શકો.
Ministry of Health and Family Welfare issues circular; says, "In view of the impending situation, no leave of any kind, including station leave, is to be granted to any officer except on medical grounds, till further orders. Further, the already sanctioned leave, if any, stands…
— ANI (@ANI) May 9, 2025
કોમ્પ્યુનિકેશન મિનિસ્ટરીએ પણ કેન્સલ કરી રજાઓ
સંચાર મંત્રાલયે તેના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે નોટિસ પણ જાહેર કરી છે. બધા અધિકારીઓ અને કર્મચારીઓને મોબાઇલ અને અન્ય સંસાધનોની મદદથી સંપર્કમાં રહેવા કહેવામાં આવ્યું છે. જો જરૂર પડે તો રજાના દિવસે પણ તેમને તાત્કાલિક ફોન કરી શકાય છે. આ ઉપરાંત કોઈપણ શંકાસ્પદ સંદેશાઓ, મેઇલ અથવા વિડિઓ અને સૂચનાઓ ખોલતી વખતે સાવચેત રહો.
AIIMS Bhubaneswar announced cancellation of all kinds of leave, including vacation and station leave in view of emerging circumstances. pic.twitter.com/4ydoFagWY5
— ANI (@ANI) May 10, 2025
AIIMS ભુવનેશ્વરે પણ એક નોટિસ જાહેર કરી
બંને દેશો વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને AIIMS ભુવનેશ્વરે તેના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સ્ટેશન રજા સહિત તમામ પ્રકારની રજાઓ રદ કરવાની પણ જાહેરાત કરી છે.






