Home International India China Relations Depends On These Three Issues S Jaishankar Put This Demand In Front Of Wang Yi

આ ત્રણ મુદ્દાઓ પર ટક્યા છે ભારત-ચીનના સંબંધ : પરસ્પર આદર અને હિતો પર આધારિત હોવા જોઈએ સંબંધો: એસ.જયશંકર

આ ત્રણ મુદ્દાઓ પર ટક્યા છે ભારત-ચીનના સંબંધ
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 04:58 PM IST

ચીન સાથે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાના સંકેતો વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે થયેલી બેઠકમાં જણાવ્યું કે ભારત-ચીન સંબંધો પરસ્પર આદર, સંવેદનશીલતા અને હિતોના આધારે નક્કી થવા જોઈએ.

સીમા વિવાદ પર ચર્ચા

જયશંકરે કહ્યું કે, “મુશ્કેલ સમય પછી હવે બંને દેશોએ આગળ જોવું જોઈએ. સરહદ વિવાદના ઉકેલ માટે ખુલ્લું અને રચનાત્મક વલણ અપનાવવું જરૂરી છે.”
આ સંદર્ભમાં, મંગળવારે NSA અજિત ડોભાલ અને વાંગ યી વચ્ચે બેઠક યોજાવાની છે, જે સરહદ વિવાદના કાયમી ઉકેલ માટેની ચર્ચા પર કેન્દ્રિત રહેશે.

મોદી–શી જિનપીંગ મુલાકાત ટર્નિંગ પોઈન્ટ

એપ્રિલ–મે 2020માં પૂર્વી લદ્દાખમાં ચીની ઘૂસણખોરી બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો. આ સ્થિતિ ઓક્ટોબર 2024માં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પછી જ હળવી થઈ. ત્યારથી તણાવ ઘટાડવાની પ્રક્રિયા ચાલુ છે.

અર્થતંત્ર અને વૈશ્વિક વ્યવસ્થા

જયશંકરે જણાવ્યું કે જ્યારે દુનિયાના બે મોટા દેશો મળે છે ત્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર ચર્ચા થવી સ્વાભાવિક છે. તેમણે બહુધ્રુવીય એશિયા અને ન્યાયી વૈશ્વિક વ્યવસ્થા માટે સહકારની જરૂરિયાત જણાવી. સાથે સાથે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવવાની જરૂર પર પણ ભાર મૂક્યો.

આતંકવાદનો મુદ્દો

આતંકવાદના મુદ્દાને મહત્વ આપતા જયશંકરે કહ્યું કે ભારતે ચીનનો સહયોગ માંગ્યો છે, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી સંગઠનોને પ્રતિબંધિત કરવાની વ્યવસ્થામાં. નોંધનીય છે કે TRF (The Resistance Front)ને હજી સુધી યુએન દ્વારા પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું નથી.

દ્વિપક્ષીય સંબંધોનું ભવિષ્ય

જયશંકરે આશા વ્યક્ત કરી કે આ મુલાકાત બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો વધુ સ્થિર, સહકારી અને ભવિષ્યલક્ષી બનશે, જે બંને દેશોના હિતોને સુરક્ષિત રાખશે અને ચિંતાઓ દૂર કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?