India vs South Africa, 1st T20I: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I સીરિઝ આવતીકાલે (9 ડિસેમ્બર, 2025) થી શરૂ થશે. આગામી સીરિઝ પહેલા, પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ અને પૂર્વ સાઉથ આફ્રિકાના દિગ્ગજ ડેલ સ્ટેને સ્ટાર સ્પોર્ટ્સ પર બોલતા ઘણી મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પાંચ મેચની સીરિઝ કઈ ટીમ જીતશે, ત્યારે પઠાણે ભારતીય ટીમનું નામ આપ્યું. તેમનું માનવું છે કે, ભારતીય ટીમ આગામી સીરિઝ 3-2 થી જીતશે. બીજી તરફ, સ્ટેને આફ્રિકન ટીમનું નામ આપ્યું. તેમનું માનવું છે કે, સાઉથ આફ્રિકાની ટીમ આગામી સીરિઝ 3-2 થી જીતશે.
કયો બોલર સૌથી વધુ વિકેટ લેશે?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આગામી સીરિઝમાં કયો બોલર સૌથી વધુ વિકેટ લેશે, ત્યારે બંને પૂર્વ ક્રિકેટરોએ એક જ ખેલાડીનું નામ આપ્યું. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ વર્તમાન નંબર વન T20 બોલર વરુણ ચક્રવર્તી છે. વરુણનો સાઉથ આફ્રિકા સામે T20 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ પણ ઉત્તમ છે. તેને આફ્રિકન ટીમ સામે ચાર મેચમાં 11.50 ની એવરેજથી 12 વિકેટ લીધી છે.
કોણ સૌથી વધુ રન બનાવશે?
આગામી સીરિઝમાં કયો બેટ્સમેન સૌથી વધુ રન બનાવશે? પઠાણે જવાબમાં અભિષેક શર્માનું નામ લીધું. તેને કહ્યું, "તે જે ફોર્મમાં છે તે જોતાં, તે ઇચ્છે છે કે તે સૌથી વધુ રન બનાવે." સ્ટેને જવાબમાં અભિષેક શર્માનું નામ પણ લીધું. અભિષેક હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે.
કોણ સૌથી વધુ છગ્ગા ફટકારશે?
પઠાણના મતે, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સીરિઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારશે. બીજી તરફ, સ્ટેન માને છે કે, ડેવિડ મિલર સૌથી વધુ છગ્ગા ફટકારશે.





















