Premanand Maharaj: વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક ભક્તે મહારાજજીને પૂછ્યું: “મહારાજ, ઘણી વાર ભિખારી લોટ-ચોખા માંગે છે, પણ પછી તે વેચીને દારૂ પી લે છે. આવું થાય તો શું ભીખ આપનાર વ્યક્તિ પણ પાપનો ભાગીદાર બને છે? ”પ્રેમાનંદ મહારાજે ખૂબ જ સ્પષ્ટ અને કડક અંદાજમાં જવાબ આપ્યો:“હા, ચોક્કસ પાપ લાગશે.
સીધું રાંધેલું ભોજન ખવડાવો
જો તમે જાણો છો કે તમારી ભીખથી તે દારૂ પીવે છે કે કોઈ પાપકર્મ કરે છે, તો તમે પણ તે પાપના ભાગીદાર બનશો. આવા લોકોને લોટ-ચોખા કે પૈસા આપવાને બદલે સીધું રાંધેલું ભોજન ખવડાવો. એ જ સૌથી ઉત્તમ દાન છે.
સંત-મહાત્મા આવે તો શું કરવું?
મહારાજે આગળ કહ્યું: જો કોઈ સાધુ-સંત કે ઋષિ ભિક્ષા માંગવા આવે તો નમ્રતાથી રોટલી કે રાંધેલો ખોરાક આપો.
જો તે પૈસા માંગે અને ન આપો તો “શાપ આપીશ” એવું કહે, તો સમજી લો કે તે ખરા સંત નથી. ખરા મહાપુરુષ ક્યારેય દાન ન મળે તો ગુસ્સે થતા નથી કે શાપ આપતા નથી.
એવા દંભીઓનો શાપ તમને કશું નુકસાન કરી શકે નહીં. દુઃખ-સુખ ફક્ત ભગવાનના હાથમાં છે.
મહારાજ ની સલાહ – આ જ કરો“અમે તમને વચન આપીએ છીએ કે કોઈ તમને દાન ન આપવાને કારણે નુકસાન પહોંચાડી શકશે નહીં. જે તમારા દરવાજે આવે તેને ભૂખ્યો ન જાય એટલું ભોજન જરૂર ખવડાવો. કપડાં ન હોય તો કપડાં આપો. બીમાર હોય તો દવા કરાવો. પણ પૈસા હંમેશા સમજી-વિચારીને આપજો. કારણ કે જો એ પૈસાથી દારૂ-માંસ ખરીદે તો તે પાપનો ભાગ તમને પણ લાગશે.”આ મહારાજનો સ્પષ્ટ સંદેશ છે.





















