મધ તો આપણે બધાએ ખાધેલું હશે. પણ શું તમને એ વાતની ખબર છે કે એક મધપુડામાં કેટલી માખીઓ હોય છે....એક કિલો મધ તૈયાર કરવામાં કેટલી માખીઓની મહેનત અને કેટલો સમય લાગેલો હોય છે. ત્યારે કેવી રીતે જાળીદાર મધપુડો બને છે અને કેવી રીતે મીઠો મધ માખીઓ બનાવે છે આવા તમામ સવાલના જવાબ આજે તમને મળી જશે. સ્વાસ્થ્ય માટે મધ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ઘણી બીમારીઓમાં મધ અકસીર દવા બની રહે છે...ત્યારે જંગલ કે ઝાડ પર લાગેલું મધ કઈ રીતે તૈયાર થઈને કેટલો લાંબો સફર કરીને તમારા ઘર સુધી પહોંચે છે તેની સફરની રસપ્રદ કહાની અંગે જ આ આર્ટિકલમાં જાણીશું.
કેટલા સમયમાં મધમાખી બનાવે છે મધ?
મધ બનાવવામાં સુંગદીત ફૂલો ખુબ જ મહત્વના હોય છે. આ ફૂલ પર બેસીને જ રસ ચૂસી મધમાખીઓ મધ બનાવવાની શરૂઆત કરે છે. ફૂલમાંથી રસ ચૂસ્યા બાદ મધમાખીઓ તેના મધપુડામાં સંગ્રહ કરે છે. આ રસને મધમાખી લગભગ 30 મિનિટ એટલે કે અડધો કલાક સુધી ચાવે છે. આ પ્રોસેસથી ફૂલોના રસને એક એવા પદાર્થમાં બદલી નાખે છે જેમાં પાણી અને મધનો સમાવેશ હોય છે. ચાવ્યાની પ્રોસેસ પુરી થયા બાદ અન્ય મધમાખીઓ તૈયાર થયેલા પદાર્થને મધપુડામાં મૂકી દે છે જેથી તેમા રહેલું પાણી બાષ્પી ભવન ના થાય. અને મધ પણ જાડું રહે છે.
રંગ અને સ્વાદ કેમ અલગ હોય?, કેવી રીતે થાય છે ખેતી?
મુખ્યત્વ ફૂલના રસને એકત્ર કરીને મધમાખીઓ મધ તૈયાર કરે છે. ફૂલોના રસને મધમાખીઓ મધપૂડાની અંદરની શર્કરામાં રાખે છે. જેમાં મધપૂડાની ડિઝાઈન અને મધમાખીઓના પીછાઓથી સતત બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. જેનાથી પ્રવાહી સ્વરૂપમાં મધ બને છે. જો કે ફૂલોના રસના આધારે આ મધનો સ્વાદ અને રંગ અલગ અલગ હોય શકે છે. મધના ઉત્પાદન માટે ખાસ પ્રકારની પેટીઓ તૈયાર કરવામાં આવે છે. જેમાં મધમાખીઓનું ઉછેર કરવામાં આવે છે. મધમાખીની દરેક પેટીમાં એક રાણી હોય છે. જેનું આયુષ્ય ત્રણ વર્ષનું હોય છે..જ્યારે અન્ય મધમાખીઓની ઉંમર 45થી 60 દિવસની હોય છે.
કેટલી માખીઓથી તૈયાર થાય છે મધ?
મધ માટેની દરેક પેટીમાં 9 ફ્રેમ હોય છે. આ પેટીમાં 7થી 15 દિવસમાં મધ તૈયાર થઈ જાય છે. જેમા એક પેટીમાં 6થી 20 કિલો સુધી મધનું ઉત્પાદન થાય છે. જો કે મધ તૈયાર કરવામાં માટે કેટલી માખીઓ હોવી જોઈએ તેનો ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ હોય છે. એક મધપેટીમાં હજારો-લાખો મધમાખીઓ હોય છે. જે રાત દિવસ એક જ કામ કરે છે ફૂલોના રસમાથી મધ તૈયાર કરવો. એટલે મોટી સંખ્યામાં મધમાખીઓ 7થી 15 દિવસ મહેનત કરે ત્યારે 6થી 20 કિલો સુધી મધ મળી શકે છે.
મધનો ભાવ શું હોય છે અને કેટલો ખર્ચ થાય છે?
મધપુડામાં એક મુખ્ય મધમાખી અને નર મધમાખીઓ રહેતી હોય છે. જેમાં મુખ્ય મધમાખી ઈંડા મૂકીને મધપુડાને માખીઓથી ભરે છે. ઈંડા મૂકવા માટે રાની મધમાખી અનેક નર મધમાખિયોના સંપર્કમાં આવે છે. જેમ જેમ મધમાખીઓની સંખ્યા વધે તેમ તેમ મધનું ઉત્પાદન પણ વધે છે. એક કિલો ઓર્ગેનિક મધનો ભાવ 400થી 700 રૂપિયાની આસપાસ હોવાનો અંદાજ છે. જો પ્રતિવર્ષ 20 હજાર કિલો મધનું ઉત્પાદન કરવું હોય તો 24 લાખ 50 હજાર રૂપિયા ખર્ચ આવે છે. 50 જેટલી મધપેટી માટે 2 લાખ જેટલો ખર્ચ લાગતો હોય છે. પરંતુ તેમાં આવક પણ વધુ હોય છે. જો કે બદલાતી પરિસ્થિતિ મુજબ ભાવ અને ખર્ચમાં બદલાવ થઈ શકે છે.





















