Home Sports Hardik Pandya Mi Exit Rumours Shardul Thakur Reaction Gujarati

IPL 2026: શું હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડી રહ્યો છે? : શાર્દુલ ઠાકુરના જવાબથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

Shardul Thakur on Hardik Pandya Absence
Published by: Viral Patel
Last Updated: May 15, 2026, 05:23 AM IST

Shardul Thakur on Hardik Pandya Absence: IPL 2026 માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે છેલ્લી કેટલીક મેચો રમ્યો નથી. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ સામે આવી રહી છે કે પંડ્યા MI છોડી શકે છે. આ બાબતે હવે શાર્દુલ ઠાકુરે ચોંકાવનારો જવાબ આપ્યો છે. IPL 2026 માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક સાબિત થયું છે. કેપ્ટન તરીકે પણ હાર્દિક પ્રભાવિત કરી શક્યો નહીં અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. પંડ્યા છેલ્લી ત્રણ મેચથી રમી રહ્યો નથી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેના MI છોડવાની અફવાઓ તેજ થઈ ગઈ છે. PBKS vs MI મેચ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બોલર શાર્દુલ ઠાકુર જોવા મળ્યો હતો. તેણે આ અફવાઓને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે.

હાર્દિકની ગેરહાજરી પર શું બોલ્યો શાર્દુલ ઠાકુર?

મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં આવેલા શાર્દુલ ઠાકુરે હાર્દિક પંડ્યાના MI છોડવાની અફવાઓને ખોટી ગણાવી હતી. તેણે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમની બહાર છે. સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલીક વાતો સાચી છે અને કેટલીક તદ્દન ખોટી છે. અંતે તો નિર્ણય ટીમ મેનેજમેન્ટ જ લેશે. જો આપણે માત્ર હાર્દિક પંડ્યા વિશે વાત કરીએ, તો તેને ઈજા થઈ છે અને તે (હાલમાં) ટીમ સાથે નથી. શાર્દુલ ઠાકુરે આગળ ઉમેર્યું, "પંડ્યા રાયપુર ગયો હતો, પરંતુ રમી શક્યો નહીં. અત્યારે તે મુંબઈમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. મને આશા છે કે તે કોલકાતા આવશે અને મેચ રમશે. જ્યારે પણ તેના જેવો કોઈ ખેલાડી મેચ ગુમાવે છે, ત્યારે અમે બધા તેની ખોટ અનુભવીએ છીએ."

હાર્દિક પંડ્યા એકલો કરી રહ્યો છે પ્રેક્ટિસ

હાર્દિક પંડ્યાએ થોડા સમય પહેલા પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે મુંબઈમાં એકલો પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. હાર્દિકને કમરની તકલીફ (પીઠમાં સમસ્યા) છે અને આ જ કારણે તે મુંબઈમાં રહીને રિકવરી કરી રહ્યો છે. આ દરમિયાન હાર્દિકને બેટિંગની પ્રેક્ટિસ કરતો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે PBKS સામેની મેચ પહેલા તે ટીમ સાથે જોડાઈ જશે અને રમતો જોવા મળશે.

બુમરાહની કેપ્ટનશીપમાં MI ની જીત

હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં જસપ્રિત બુમરાહે MI ની કમાન સંભાળી હતી. આ મેચમાં PBKS એ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ સામે 201 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તિલક વર્માની શાનદાર બેટિંગના દમ પર 6 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now