હિમાચલપ્રદેશમાં પ્રખ્યાત ધર્મશાલામાં એક પેરાગ્લાઇડર અકસ્માત થયો હતો, જેમાં એક પ્રવાસીનું મોત થયું હતું, જ્યારે પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેરાગ્લાઇડર ટેકઓફ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ પેરાગ્લાઇડર હિમાચલ પ્રદેશના ધર્મશાલાના એક સ્થળે થઈ રહ્યું હતું, જે હજુ સુધી પેરાગ્લાઇડિંગ માટે અનનોટિફાઈડ છે. અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પેરાગ્લાઇડર ટેકઓફ દરમિયાન હવામાં ઊડી શક્યું નહીં અને પ્રવાસી અને પાયલટ સીધા ખીણમાં પડી ગયા.
પોલીસને રવિવારે સાંજે 4 વાગ્યા પછી આ અકસ્માતની માહિતી મળી હતી. અકસ્માત બાદ બંને ઘાયલોને સારવાર માટે ઝોનલ હોસ્પિટલ ધર્મશાલા લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંને ઘાયલોને ટાંડા રિફર કરવામાં આવ્યા હતા. ટાંડામાં સારવાર દરમિયાન ગુજરાતી પ્રવાસીનું મૃત્યુ થયું હતું.

_b7ddd900-7174-4dc0-8646-3eac5508353e.jpg)


















