ગુજરાતમાં હાલ વરસાદનું સંકટ તો ટળી ગયું છે, પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો વધી રહ્યા છે. પરંતુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં હવામાનમાં અનેક ફેરફાર થવાના છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. સવારે હળવું ધુમ્મસ રહેશે. લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતના ઘણાં ભાગોમાં વાદળવાયુંની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરિત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે.
આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં જે મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવવાની ધારણા હતા, તે નબળો પડી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં મોટું માવઠું આવવાની શક્યતા નહીવત છે.
અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને ખાસ સતર્ક રહેવા જણાવ્યું છે. ખેડૂતોને કેરી અને લીચીના બગીચા ન ખેડવા સલાહ આપવામાં આવી છે. બટાકાની શરૂઆતની જાતો ખોદીને પછીના ઘઉંના પાકમાં ઝીંકની ઉણપના લક્ષણોની સારવાર કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી 5 ફેબ્રુઆરી સુધી ઉત્તર બિહારના જિલ્લાઓમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે અને હવામાન શુષ્ક રહેશે. આગામી બે દિવસ સવારે મધ્યમ ધુમ્મસ રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાન વધશે.
મહત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. શુક્રવારે મહત્તમ તાપમાન 25.0 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે હાલમાં ધીમા પશ્ચિમી પવનો ફૂંકાય તેવી શક્યતા છે.
કેરી અને લીચીના બગીચા ખેડવા નહીં:
આ સમયે, કેરી અને લીચીમાં ફૂલો આવવાની સંભાવના વધુ હોય છે. આ કારણોસર, વૈજ્ઞાનિકોએ ખેડૂતોને કેરી અને લીચીના બગીચામાં કોઈપણ પ્રકારની ખેડાણ ન કરવાની અપીલ કરી છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






