પ્રધાનમંત્રી જીવન વીમા યોજના એટલે કે PMJJBYએક સરકારી વીમા યોજના છે. કોઈ પણ પ્રકારના મૃત્યુમાં આ યોજના કવર થાય છે. દર વર્ષે આ યોજના માટે પ્રિમીયમ આપવું પડે છે જેની સામે 2 લાખ રૂપિયાનું કવર મળે છે. આ એક વીમા યોજના છે, જેમાં ઓછા પ્રિમીયમમાં જીવન કવચ મળે છે. 18થી 50 વર્ષની વયમાં આવતી કોઈપણ વ્યક્તિ પ્રિમીયમ લઈ શકે છે. આ યોજનાને લઈ કેટલીક જાણકારીઓ છે, તે તમારા કામ આવી શકે છે. ત્યારે એક એક સવાલ અને તેના જવાબ થકી મેળવીએ જાણકારી...
સવાલ- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે?
જવાબ- આ એક વાર્ષિક ટર્મ જીવન વીમા યોજના છે, જે એક વર્ષ માટે કવર આપે છે. દર વર્ષે તેને રિન્યૂ કરી શકાય છે.
સવાલ- આ યોજનાથી કેટલા ફાયદા મળે, અને કેટલું પ્રિમીયમ ભરવું પડે?
જવાબ- આ યોજના અંતર્ગત વીમાધારકના મૃત્યુ પર રૂ.2 લાખની રકમ મળે છે. વર્ષનું પ્રિમીયમ માત્ર 436 રૂપિયા છે.
સવાલ- પ્રિમીયમની રકમ કેવી રીતે ભરવી?
જવાબ- વીમાધારકના બેન્ક એકાઉન્ટમાંથી કે પોસ્ટઓફિસ ખાતામાંથી પ્રિમીયમની રકમ ઓટો ડેબિટ થઈ જાય છે.
સવાલ- આ યોજનામાં સામેલ થવાની શરતો શું છે?
જવાબ- 18થી 50 વર્ષની વયમર્યાદામાં આવતી તમામ વ્યક્તિ આ યોજના માટે એપ્લાય કરી શકે છે.
સવાલ- વીમા કવર કેટલા વર્ષ માટે મળે છે ?
જવાબ- આ યોજનામાં એક વર્ષ માટે કવર મળે છે, અને દર વર્ષે તેને રિન્યૂ કરી શકાય છે.
સવાલ- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનામાં સામેલ થવાની અંતિમ તારીખ કઈ?
જવાબ- આ યોજનામાં સામેલ થવાની અંતિમ તારીખ દર વર્ષની 31 મે છે.
સવાલ- કોઈ આ યોજના અધવચ્ચે છોડી દે તો ફરી એકવાર તેમાં સામેલ થઈ શકે?
જવાબ- હા... થઈ શકાશે, ભવિષ્યમાં યોગ્ય પ્રિમીયમ ભરીને યોજનામાં સામેલ થઈ શકાશે.
સવાલ- શું આ યોજનામાં જોઈન્ટ એકાઉન્ટવાળા સામેલ થઈ શકે?
જવાબ- હા તમામ જોઈન્ટ એકાઉન્ટવાળા સામેલ થઈ શકે
સવાલ- શું NRI વ્યક્તિ પણ આ યોજનામાં સામેલ થઈ શકે?
જવાબ- હા જો કોઈ NRIનું બેક એકાઉન્ટ હોય તો તે આ યોજના માટે એપ્લાય કરી શકશે.
સવાલ- કુદરતી આપદાના કારણે મોત થાય તો વીમાકવર મળે?
જવાબ- આ યોજના કોઈપણ પ્રકારના મૃત્યુને કવર કરે છે.
સવાલ- આ યોજનામાં સામેલ થવા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?
જવાબ- આ યોજનામાં સામેલ થવા માટે આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ ડિટેઈલ્સ હોવી જોઈએ.
સવાલ- શું આ યોજનાનો લાભ તમામ બેન્કમાંથી મળી શકે?
જવાબ- જીહા... આ યોજનાનો લાભ તમામ બેન્ક અને પોસ્ટઓફિસમાં મળે
સવાલ- મૃત્યુ બાદ પરિવાર કેવી રીતે વીમાની રકમ મેળવી શકે?
જવાબ- વીમા સંબધિત જરૂરી દસ્તાવેજો સાથે બેન્કનો સંપર્ક કરવો પડે
સવાલ- આ યોજનામાં સામેલ થવા માટે મેડિકલ ટેસ્ટ કરાવવા પડે?
જવાબ- ના, આ યોજના માટે કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર નથી
સવાલ- આ યોજનામાં વયમર્યાદાનો લાભ મળી શકે?
જવાબ- જે લોકો 50 વર્ષની વય પહેલા આ યોજનામાં સામેલ થયા હોય તે લોકો 55 વર્ષની વય સુધી લાભ લઈ શકે




















