Good news for EV owners: Maharashtra માં ઇલેક્ટ્રિક વાહન ચાલકો માટે સારા સમાચાર છે કારણ કે, રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 22 ઓગસ્ટ, 2025 થી ત્રણ મુખ્ય હાઇવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સમાંથી સંપૂર્ણપણે ફ્રી કરવામાં આવશે. જાણો કે, કયા રસ્તાઓ પર મફત ટોલ રહેશે.
જાણો મહારાષ્ટ્રના કયા-કયા હાઇવે પર ટોલ નહીં?
તમારી જાણકારી માટે કે, મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે અને અટલ સેતુ ટોલ ફ્રી રૂટ હશે. EV માલિકોએ હવે આ રૂટ પર ટોલમાં એક પણ પૈસો ચૂકવવો પડશે નહીં. અટલ સેતુનો ટોલ ચાર્જ ઘણો મોંઘો છે, તેથી હવે EV વપરાશકર્તાઓને મોટી રાહત મળશે.
આ ઇલેક્ટ્રિક વાહનોએ ટેક્સ ચૂકવવો પડશે નહીં
આ ઇલેક્ટ્રિક વાહનોની યાદીમાં ખાનગી, પેસેન્જર, રાજ્ય પરિવહન બસો, જાહેર પરિવહન જેવા વાહનોનો સમાવેશ થશે, જોકે ઇલેક્ટ્રિક માલવાહકોએ હજુ પણ ટોલ ચૂકવવો પડશે. આ ત્રણ ખાસ હાઇવે સિવાય, રાજ્ય અને રાષ્ટ્રીય હાઇવે પર ઇલેક્ટ્રિક વાહનો પાસેથી ફક્ત 50 ટકા ટોલ વસૂલવામાં આવશે. આનો અર્થ એ છે કે, આ રૂટ પર મુસાફરી પહેલા કરતાં સસ્તી બનશે.
કોને ફાયદો થશે?
સરકારે તમામ ટોલ બૂથને નિયમોનું પાલન કરવાનો અને EV માલિકો પાસેથી ટોલ ન વસૂલવાનો કડક આદેશ આપ્યો છે. હવે EV કંપનીઓને પણ આનો ફાયદો થવાનો છે કારણ કે, EV ખરીદવાનું આકર્ષણ વધશે અને તે ટાટા, મહિન્દ્રા અને MG માટે ફાયદાકારક સાબિત થશે. આ સાથે, લોકોને પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે EV પસંદ કરવાની મોટી તક મળવાની છે.
EV વપરાશ કર્તાઓ માટે રાહત!
મહારાષ્ટ્ર સિવાય, અત્યાર સુધી અન્ય કોઈ રાજ્યએ આવું પગલું ભર્યું નથી. જોકે, કેટલાક ઓટો નિષ્ણાતો માને છે કે, મહારાષ્ટ્રમાં EV વેચાણમાં વધારા પછી, અન્ય રાજ્યો પણ આવી છૂટ આપવાનું વિચારી શકે છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણય EV માલિકો માટે એક મોટી ભેટ સાબિત થવાનો છે.





















