Home Gujarat Gandhinagar Chief Minister Reception Welcome Program Will Be Held

ગાંધીનગરમાં 29 ઓગસ્ટે સ્વાગત કાર્યક્રમ યોજાશે : CM ભૂપેન્દ્ર પટેલ રજૂઆતો-ફરિયાદોના નિવારણ કરશે!

ગાંધીનગરમાં 29 ઓગસ્ટે સ્વાગત કાર્યક્રમ યોજાશે
Published by: OBS Bureau
Last Updated: Aug 27, 2025, 09:33 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત શુક્રવાર તા. 29 ઓગસ્ટ 2025ના રોજ યોજાશે.


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓગસ્ટ 2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.29 ઓગસ્ટ ને શુક્રવારે યોજાવાનો છે.


નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો શુક્રવાર, તા. 29 ઓગસ્ટના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now