આયુર્વેદમાં માથાની ખંજવાળ આવવાને ખોરાક સાથે જોડવામાં આવે છે. એટલે કે તમે જે ખાઓ છો તેનાથી શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન બગડી શકે છે. જેના કારણે સ્કાલ્પમાં ખંજવાળ આવે છે. આ ઉપરાંત, માથામાં ખંજવાળનું કારણ ડેન્ડ્રફ, કોઈપણ શેમ્પૂ અથવા તેલ અથવા માથાની જૂ પણ હોઈ શકે છે. કેટલીકવાર માથામાં કોઈ ચેપને કારણે ખંજવાળ શરૂ થાય છે જેમકે સૉરાયિસસ, ફંગલ ચેપ, શિળસ અને એટોપિક ત્વચાકોપ અતિશય ખંજવાળનું કારણ બની શકે છે. આજે જાણીશું આચાર્ય બાલકૃષ્ણ પાસેથી આ ગંભીર સમસ્યાના લક્ષણો અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય.
સ્કાલ્પના ખંજવાળના લક્ષણ
ડ્રાય સ્કાલ્પ
ત્વચામાં બળતરા
ત્વચામાં લાલાશ
લાલાશ સાથે સોજો
માથા પર સફેદ પોપડા
પરુ ભરેલા ઘા
કેવી રીતે મેળવશો છુટકારો?
નારિયેળનું તેલઃ જો માથામાં વધુ પડતી ખંજવાળ આવતી હોય તો નારિયેળનું તેલ લગાવો. આનાથી સ્કાલ્પને ફાયદો થશે.
દહીં લગાવો: ડેન્ડ્રફ અથવા વાળમાં કોઈપણ ચેપને કારણે થતી ખંજવાળથી છુટકારો મેળવવા માટે દહીંનો ઉપયોગ કરો. શેમ્પૂ કરતા પહેલાં સ્કાલ્પ પર દહીંની માલિશ કરવાથી ખંજવાળ દૂર થાય છે અને વાળમાં ચમક પણ આવે છે. આવું અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કરો.
ડુંગળીનો રસઃ કાંદાના રસના ઉપયોગથી સ્કાલ્પની ખંજવાળથી છુટકારો મળશે. આ માટે ડુંગળીનો રસ કાઢો. તેને રૂની મદદથી સ્કાલ્પ પર લગાવો અને 20 મિનિટ માટે છોડી દો. આ પછી વાળને સારી રીતે ધોઈ લો.
લીમડાના પાન: લીમડાના પાનનો ઉપયોગ વાળ અને ત્વચાના ચેપને દૂર કરવા માટે કરી શકાય છે. લીમડાના પાન અને હિબિસ્કસના પાન મિક્સ કરીને પાણી ઉકાળો. આ પાણીથી રોજ તમારા વાળ ધોઈ લો. તેનાથી ખંજવાળ શાંત થશે
તેલ: તલનું તેલ સ્કાલ્પની ખંજવાળમાં પણ ફાયદાકારક છે. તલના તેલથી માલિશ કરવાથી માથામાં ખંજવાળ અને ડ્રાય સ્કિનની સમસ્યામાંથી રાહત મળે છે. તલના તેલને આછું ગ રમ કરીને રાત્રે લગાવો અને સવારે શેમ્પૂ કરો.




















