Home National Ed Freezes Tmc Rs 440 Crore Bank Accounts Gujarati

મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો! : EDએ TMCના ₹440 કરોડના બેંક ખાતા ફ્રીઝ કર્યા

TMC News
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2026, 03:18 PM IST

TMC News: તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાર્ટી મુખ્યાલય પર બળવાખોર જૂથના કબજા અને આંતરિક વિખવાદ વચ્ચે હવે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પાર્ટી પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. EDએ કથિત નાણાકીય ગેરરીતિઓ અને ફંડની હેરાફેરીના મામલામાં તૃણમૂલ કોંગ્રેસના આશરે ₹440 કરોડની રકમવાળા બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે.

તપાસ એજન્સીનો આક્ષેપ છે કે પાર્ટી ફંડનો ઉપયોગ ગેરકાયદેસર રીતે બિઝનેસ જેટ અને હેલિકોપ્ટર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.

કેરવેલ એવિએશન અને ₹160 કરોડનું કનેક્શન

EDની તપાસમાં એવિએશન સેક્ટરમાં કામ કરતી ‘કેરવેલ ગ્રુપ ઓફ કંપનીઝ’ની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2023 થી જૂન 2026 વચ્ચે TMC સાથે જોડાયેલા બેંક ખાતાઓમાંથી અંદાજે ₹160 કરોડ કેરવેલ એવિએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલી અન્ય એક કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

18 વર્ષ પહેલાં લગ્ન એટલે POCSOનો કેસ... : મુસ્લિમોમાં પણ નાની ઉંમરે લગ્ન નહીં થાય; સમજો HCનો સંપૂર્ણ ચુકાદો

આક્ષેપ છે કે ત્યારબાદ કંપનીએ ₹82.96 કરોડ એક નવી બનેલી કંપનીમાં રૂટ (ડાયવર્ટ) કર્યા, જેના દ્વારા એક 'એમ્બ્રેયર લેગસી 600' બિઝનેસ જેટ અને એક 'અગસ્તાવેસ્ટલેન્ડ 109SP' હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યું હતું. આ વિમાનો ખરીદવામાં અંદાજે ₹112 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

EDએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હેલિકોપ્ટર ખરીદવા માટે કેટલાંક નાણાં વિદેશી સ્ત્રોતોમાંથી પણ આવ્યા હતા, પરંતુ તેનો મોટો હિસ્સો TMC સાથે જોડાયેલા ખાતાઓમાંથી જ મોકલવામાં આવ્યો હતો. તપાસકર્તાઓનો દાવો છે કે વિમાન અને હેલિકોપ્ટર ખરીદ્યા બાદ તેને ફરીથી તે જ રાજકીય પક્ષને લીઝ (ભાડા) પર આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વિમાનોના ઉપયોગના બહાને પાર્ટી ફંડમાંથી મોટી રકમ કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જે માતાએ પરિવાર સંભાળ્યો, તેના જ મોતનું દિકરીએ ઘડ્યું કથિત કાવતરું : 7 લાખની સોપારી અને પરિવારના સભ્યોની સંડોવણીએ કેસને આપ્યો નવો વળાંક

EDના જણાવ્યા અનુસાર વિમાનના ઉપયોગના બહાને મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આખી ગોઠવણ અત્યંત શંકાસ્પદ લાગે છે અને એવું જણાય છે કે તેને વ્યવહારના વાસ્તવિક લાભાર્થી અને હેતુને છુપાવવા માટે તૈયાર કરવામાં આવી હતી."

બળવાખોર ધારાસભ્યોની ફરિયાદ

રસપ્રદ વાત એ છે કે ગયા મહિને કોલકાતા પોલીસે પણ TMCના ત્રણ બેંક ખાતાઓમાંથી ડેબિટ ઓપરેશન (નાણાં ઉપાડવા) પર રોક લગાવી દીધી હતી. આ કાર્યવાહી પાર્ટીના બળવાખોર ધારાસભ્યોની એ ફરિયાદ બાદ કરવામાં આવી હતી, જેમાં તેમણે પાર્ટીના આ ‘ફાઇનાન્સિયલ વૉર ચેસ્ટ’ (નાણાકીય ભંડોળ) ના સ્ત્રોતોની તપાસ કરવાની માંગ કરી હતી.

રામ મંદિર દાન ચોરી કેસમાં સૌથી મોટો નવો ખુલાસો : નકલી રસીદો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘરાવવામાં આવતું હતું દાન!

ત્યારબાદ, મમતા બેનર્જી જૂથે આ ફ્રીઝને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 2 જુલાઈએ આ મામલાની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે સંબંધિત પ્રાઈવેટ બેંક સત્તાવાળાઓને આ ખાતાઓમાં જમા કુલ રકમનો ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે અંદાજે ₹440 કરોડ હોવાનું આંકવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now