અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓ તેમની મુલાકાત લે અને વોશિંગ્ટનમાં ફેડરલ ઇમારતોની નજીક બાંધેલા તંબુ અને દિવાલો જુએ. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની રાજધાનીને મોટા પાયે સાફ કરવાનો આદેશ આપ્યો છે.
"અમે અમારા શહેરને સાફ કરી રહ્યા છીએ", "ટ્રમ્પે શુક્રવારે ન્યાય વિભાગમાં એક નિવેદનમાં જણાવ્યું હતું (માર્ચ 14,2025)" અમે આ રાજધાનીને સાફ કરી રહ્યા છીએ અને અમે ગુનોઓ પર રોક લગાવીશું. અમે પહેલેથી જ તંબુઓ દૂર કરવાનું શરૂ કરી દીધું છે અને અમે વહિવટીતંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે અત્યાર સુધી વોશિંગ્ટનના મેયર મ્યુરિયલ બાઉઝરે રાજધાનીની સફાઈમાં સારું કામ કર્યું છે. ટ્રમ્પે કહ્યું, "વિદેશ મંત્રાલયની સામે ઘણા તંબુઓ છે. તેમને દૂર કરવા જોઈએ. અમે એવી મહાસત્તા છીએ જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની શકે છે.
"જ્યારે ભારતના પ્રધાનમંત્રી મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, આ બધા લોકો... યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી, તે બધા છેલ્લા દોઢ અઠવાડિયામાં મને મળવા આવ્યા હતા અને જ્યારે તેઓ આવ્યા હતા. એટલે મેં રસ્તો બદલાવ્યો હતો. હું તેમને આ જોવા નહોતો માંગતો. હું નથી ઇચ્છતો કે તેઓ ગ્રેફિટી જુએ. હું નથી ઇચ્છતો કે તેઓ રસ્તાઓ પર તૂટેલા અવરોધો અને ખાડાઓ જુએ.





