દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની મંચમી તિથી પર ઋષિ પંચમીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે અ વ્રત 28 ઓગસ્ટે છે, આનું મુહૂર્ત 11.5 થી બપોરે 1.39 મિનિટ સુધી છે. માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે અને સ્પતઋષિઓનો આશીર્વાદ મળે છે. પરંતુ વ્રત કથાઓ વિના આ વ્રત અધૂરું છે. એવામાં તો ચાલો ઋષિ પંચમીની વ્રત કથા જાણીએ.
ઋષિ પંચમીની કથા (Rishi Panchami 2025 vrat katha)
પૌરાણિક કથા અનુસાર, એક નગરમાં એક ખેડૂત અને તેની પત્ની રહેતા હતા. એક વખત ખેડૂતની પત્ની માસિક ધર્મ આવ્યો, પરંતુ આ જાણ્યા પછી પણ તેને પોતાનું કામ ચાલુ રાખ્યું. જેના કારણે તેને શ્રાપ મળ્યો. આ સમય દરમિયાન તેનો પતિ પણ તેના સંપર્કમાં આવ્યો, જેના કારણે તેને પણ આ શ્રાપ લાગ્યો. માસિક ધર્મની ખામીને કારણે, પત્ની બીજા જન્મમાં કૂતરી તરીકે જન્મી, જ્યારે પતિ બળદ તરીકે જન્મ્યો.
દીકરાને બચાવવા માટે કર્યા આ કામ
માસિક ધર્મ સિવાય, બંનેનો બીજો કોઈ વાંક નહોતો, તેથી તેમને તેમના પાછલા જન્મ વિશે બધું યાદ હતું. પ્રાણીઓની જેમ, બંને પતિ-પત્ની તેમના પુત્ર સુચિત્રા સાથે રહેવા લાગ્યા. એક દિવસ એક બ્રાહ્મણ તેમના પુત્રના ઘરે આવ્યા, અને સુચિત્રાની પત્નીએ તેમના માટે ભોજન રાંધ્યું. જ્યારે તે બહાર ગઈ, ત્યારે એક સાપ ત્યાં આવ્યો અને ખોરાકમાં તેનું ઝેર છોડી દીધું. કૂતરીએ આ બધું જોયું અને તેના પુત્ર અને પુત્રવધૂને બ્રહ્મહત્યા કરતા બચાવવા માટે, તેને ખોરાકમાં પોતાનું મોં નાખ્યું.
પુત્રવધૂ ગુસ્સે થઈ ગઈ
તેની હરકત જોઈને પુત્રવધૂ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેને માર મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. જ્યારે તે રાત્રે બળદ એટલે કે તેના પતિને આ બધું કહી રહી હતી, ત્યારે તેના પુત્રએ પણ આખી વાત સાંભળી. પછી પુત્રે એક ઋષિ પાસે તેના માતાપિતાને આ પાપમાંથી મુક્ત કરવાનો ઉપાય માંગ્યો.
ઋષિએ જણાવ્યો આ ઉપાય
ઋષિએ સૂચિત્રને જણાવ્યું કે પોતાના માતા પિતાને આ શ્રાપથી મુક્ત કરવા માટે તેને તેની પત્નીને ઋષિ પંચમનું વ્રત કરવું જોઈએ. ઋષિના જણાવ્યા અનુસાર, પુત્રવધુએ ઋષિ પાંચમનું વ્રત રાખ્યું, જેના ફળસ્વરૂપે બંનેને પશુ યોનિમાંથી છુટકારો મળી ગયો.





















