Home National Delhi Igi Airport Storm Air India Three Aircraft Damaged Dgca Probe

હવામાન વિભાગની એક ભૂલે દિલ્હી એરપોર્ટ પર મચાવ્યો હાહાકાર! : પાર્ક કરેલા એર ઇન્ડિયાના વિમાનોને કરોડોનું નુકસાન

Delhi IGI Airport
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jun 08, 2026, 05:45 AM IST

Delhi IGI Airport : દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI) પર રવિવારની સાંજે એક મોટી અને આશ્ચર્યજનક વિમાન દુર્ઘટના સામે આવી છે. સામાન્ય રીતે એરપોર્ટ પર સુરક્ષા અને વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હોય છે, પરંતુ અચાનક આવેલા જોરદાર વાવાઝોડા અને કુદરતી આફત સામે તંત્ર લાચાર સાબિત થયું હતું. ભારે પવનના કારણે એરપોર્ટ પર પાર્ક કરેલા એર ઈન્ડિયાના ત્રણ વિમાનો ગ્રાઉન્ડ સપોર્ટ સાધનો સાથે જોરદાર રીતે ભટકાયા હતા. આ અકસ્માતમાં ત્રણેય વિમાનોને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોતા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તાત્કાલિક ધોરણે આખા મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે.

ટર્મિનલ 2 પર કેવી રીતે સર્જાયો આ મોટો અકસ્માત

આ સમગ્ર ઘટના રવિવારે સાંજે એરપોર્ટના ટર્મિનલ 2 (T2) ના પાર્કિંગ એરિયામાં બની હતી. સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને અત્યંત તીવ્ર ગતિએ પવન ફૂંકાવા લાગ્યો હતો. તોફાન એટલું જોરદાર હતું કે રનવે અને એરપોર્ટની આસપાસ રાખવામાં આવેલા ભારે ગ્રાઉન્ડ સપોર્ટ સાધનો પોતાની જગ્યા પરથી ઉખડી ગયા હતા અને પૈડાં હોવાના કારણે રનવે પર દોડવા લાગ્યા હતા. આ બેકાબૂ બનેલા સાધનો ત્યાં લાઈનમાં પાર્ક કરેલા એર ઈન્ડિયાના ત્રણ સિંગલ-એન્જિન (સિંગલ આઈલ) વિમાનો સાથે એક પછી એક જોરથી અથડાયા હતા. સાધનો લોખંડના હોવાને કારણે વિમાનોની બોડી અને પાંખોને ભારે નુકસાન થયું છે, જેને કારણે એરપોર્ટ પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.

દિલ્હી IGI એરપોર્ટ પર સ્વિસ એર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ!: લેન્ડિંગ કરતાં અનેક મુસાફરો ઘાયલ

હવામાન વિભાગની ચૂક અને એરલાઇન્સનો બચાવ

એરપોર્ટના આંતરિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, રવિવારે સાંજે લગભગ 4:40 વાગ્યે આ અચાનક તોફાન શરૂ થયું હતું. આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે હવામાન વિભાગ (IMD) તરફથી આટલા મોટા તોફાન કે વાવાઝોડા અંગે અગાઉથી કોઈ પણ પ્રકારની ચેતવણી કે એલર્ટ જાહેર કરવામાં આવ્યું ન હતું. પાર્કિંગ સ્ટેન્ડ પર રાખવામાં આવેલી ઈન્ડિગો એન્જિનિયરિંગ અને એર ઈન્ડિયા એન્જિનિયરિંગની માલિકીની સીડીઓ (સ્ટેપ લેડર) અને ભારે લોખંડના ટ્રેસ્ટલ પવનના કારણે હવામાં ફંગોળાયા હતા. આ બાબતે ઈન્ડિગો એરલાઇન્સના સૂત્રોએ પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે તેમણે સુરક્ષાના નિયમો મુજબ પોતાના તમામ ટ્રેસ્ટલ અને સાધનોને મજબૂતાઈથી બાંધીને સુરક્ષિત રાખ્યા જ હતા, પરંતુ વાવાઝોડાની ગતિ એટલી અસાધારણ હતી કે તમામ લોક અને દોરડા તૂટી ગયા હતા.

વિમાનોને કરાયા ગ્રાઉન્ડેડ અને કરોડોના નુકસાનની આશંકા

આ ગંભીર અકસ્માત બાદ એર ઈન્ડિયા મેનેજમેન્ટે તાત્કાલિક પગલાં લઈને ત્રણેય ક્ષતિગ્રસ્ત વિમાનોને તપાસ અને સમારકામ (રિપેરિંગ) માટે ગ્રાઉન્ડેડ કરી દીધા છે, એટલે કે આ વિમાનો જ્યાં સુધી સંપૂર્ણ સાજા ન થાય ત્યાં સુધી ઉડાન ભરી શકશે નહીં. એવિએશન ક્ષેત્રના ટેકનિકલ નિષ્ણાતોનું કહેવું છે કે આ વિમાનોમાંથી એક વિમાનને વધારે નુકસાન થયું હોવાથી તેને સરખું કરવામાં થોડા દિવસોનો સમય લાગી શકે છે, જ્યારે બાકીના બે વિમાનોમાં નાનું-મોટું સમારકામ કરીને આ જ અઠવાડિયામાં ફરીથી ઓપરેશનલ એટલે કે ઉડાન માટે તૈયાર કરી દેવામાં આવશે. આ અકસ્માતને કારણે એરલાઇન્સને આર્થિક નુકસાનની સાથે ઘણી ફ્લાઇટ્સના શિડ્યુલ પર પણ અસર પડી છે.

Delhi Airport પર મોટી દુર્ઘટના!: બે પેસેન્જર વિમાનો સામસામે અથડાયા

એરપોર્ટ મેનેજમેન્ટની સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો

આ ઘટનાએ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) પર ઘણા મોટા પ્રશ્નાર્થ ચિહ્નો લગાવી દીધા છે. તમામ એરલાઇન્સ કંપનીઓ અને એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓ આ વાતથી ભારે આશ્ચર્યમાં છે કે આટલા આધુનિક યુગમાં પણ હવામાનની આગોતરી માહિતી કેમ ન મળી શકી. જો હવામાન વિભાગે સમયસર એલર્ટ આપ્યું હોત, તો એરપોર્ટ પર હાજર ગ્રાઉન્ડ સ્ટાફે તમામ ભારે સાધનોને સાંકળોથી લોક કરી દીધા હોત અને આ કરોડો રૂપિયાનું નુકસાન અને અકસ્માત સરળતાથી ટાળી શકાયો હોત. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં ઘના ધુમ્મસ વચ્ચે ન્યૂયોર્કથી આવેલા એર ઈન્ડિયાના નવા A350 વિમાનના એન્જિનમાં રનવે પર પડેલું એક લાવારિસ બેગ કન્ટેનર ઘૂસી ગયું હતું. DGCA હવે જૂની અને નવી તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓની બેદરકારીની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now