Home Gujarat Dahod Tempo Accident Rachhava Ghati Garbada Dhanpur

દાહોદમાં ટેમ્પો પલ્ટી મારતા અકસ્માત : 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

દાહોદના રાછવા ઘાટી પાસે પલ્ટી મારેલો મુસાફર ટેમ્પો અને બચાવ કામગીરી.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 16, 2026, 12:24 PM IST

Dahod News: દાહોદ જિલ્લામાં ગરબાડાથી ધાનપુર તરફ જઈ રહેલો મુસાફર ટેમ્પો રાછવા ઘાટી નજીક અકસ્માતનો ભોગ બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન પલ્ટી મારી ગયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

10થી વધુ મુસાફરોને ઈજાઓ, સ્થાનિકોએ કરી મદદ

અકસ્માતમાં 10થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઈજાગ્રસ્તોને ટેમ્પોમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગંભીર ઈજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક મુસાફરોને વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તબીબોની ટીમ દ્વારા તમામ ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.

પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો
: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી : અષાઢી બીજે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

ઘાટ વિસ્તારમાં અકસ્માતને પગલે સાવચેતીની જરૂર

રાછવા ઘાટી જેવા વળાંકવાળા માર્ગો પર વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન હંકારવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર અગાઉ પણ અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે. પોલીસે વાહનચાલકોને નિયંત્રિત ગતિએ વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now