Home International Cyclone Montha Affects Flights 32 Flights Cancelled In Visakhapatnam

ચક્રવાત 'મોન્થા'નો ઉડાન પર અસર : વિશાખાપટ્ટનમમાં 32 ફ્લાઇટ્સ રદ, મુસાફરોની મુશ્કેલીઓ વધી

ચક્રવાત 'મોન્થા'નો ઉડાન પર અસર
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 11:55 AM IST

આંધ્રપ્રદેશમાં ત્રાટકવા તૈયાર ગંભીર ચક્રવાત 'મોન્થા'એ હવાઈ અને રેલ્વે સેવાઓને ખોરવી નાખી છે. ખરાબ હવામાનને કારણે મંગળવારે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરથી સંચાલિત તમામ 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેમાં ઘરેલું અને આંતરરાષ્ટ્રીય રૂટનો સમાવેશ થાય છે. એરપોર્ટ ડિરેક્ટર એન. પુરુષોત્તમે જણાવ્યું કે, દરરોજ 30-32 ફ્લાઇટ્સનું સંચાલન થાય છે, પરંતુ ચક્રવાતની સાવચેતી તરીકે બધી જ રદ કરાઈ. 27 ઓક્ટોબરે એર ઇન્ડિયા એક્સપ્રેસની બે ફ્લાઇટ્સ પણ અસરગ્રસ્ત થઈ હતી.

વિજયવાડા એરપોર્ટ: 16 ફ્લાઇટ્સ રદ, માત્ર 5નું સંચાલન

વિજયવાડા એરપોર્ટે મંગળવારે 16 ફ્લાઇટ્સ રદ કરી, જેમાં દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોના રૂટ સામેલ છે. ડિરેક્ટર લક્ષ્મીકાંત રેડ્ડીએ કહ્યું કે, સોમવારે માત્ર વિશાખાપટ્ટનમ જતી એક ફ્લાઇટ રદ થઈ હતી, પરંતુ આજે મોટા પ્રમાણમાં અસર થઈ. માત્ર પાંચ ફ્લાઇટ્સનું સંચાલન થયું. એરલાઇન્સે કામગીરી સ્થગિત કરી છે અને બુધવારની સ્થિતિ સાંજ સુધીમાં સ્પષ્ટ થશે. તિરુપતિ એરપોર્ટ પર 4 ફ્લાઇટ્સની અસરતિરુપતિ એરપોર્ટ પર પણ ચાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેનાથી પ્રવાસીઓને વધુ મુશ્કેલી વેઠવી પડી.

રેલ્વે પર પણ પ્રહાર: 120 ટ્રેનો રદ

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે, 27 ઓક્ટોબર અને મંગળવારે દક્ષિણ મધ્ય રેલ્વે (SCR) ઝોનમાં કુલ 120 ટ્રેનો રદ કરાઈ. ચક્રવાત મંગળવારે સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી આગાહી છે.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ની માર્ગદર્શિકા અનુસાર, ચક્રવાત પહેલા અને પછીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરલાઇન્સ અને રેલ્વે સાથે સંપર્કમાં રહી અપડેટ મેળવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની