BCCI ની પાસે એશિયા કપનું આયોજન કરવાની જવાબદારી હતી, પરંતુ ભારત અને પાકિસ્તાનના તણાવ જેવી પરિસ્થિતિમાં આ ટુર્નામેન્ટને ન્યૂટરલ વેન્યુ (United Arab Emirates) માં રમવા જય રહ્યો છે. દરેક મેચ માટેનું સ્થાન હજુ નક્કી થયું નથી, તેણી પણ જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે
પૂર્વ કેપ્ટન ગાંગુલીની શું વિચારણા છે :
સૌરવ ગાંગુલીએ એક પ્રેસ કોન્ફરેંસમાં કહ્યું, 'મેચો થતી રહેવી જોઈએ, પરંતુ પહેલગામ જેવા આંતકવાદી હુમલા ના થવા જોઈએ, અને આંતકવાદ ન થવો જોઈએ, અને તેની સાથે સાથે તેને રોકવામાં આવે. ભારતે આ અંગે કડક પગલા લીધા છે, પરંતુ આ ભૂતકાળની વાત છે તેને ભૂલી જવી જોઈએ. અને હવે ભારત-પાકિસ્તાનની મેચોને આગળ કરતાં રહો. એશિયા કપ 2025માં થનાર ભારત-પાકિસ્તાનની મેચને લઈને BCCI ને ટીકા થઈ રહી છે. પરંતુ ગાંગુલીએ કીધું કે રાજનીતિ અને રમતને અલગ રાખવી જોઈએ.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ આપેલ એશિયા કપ 2025ના સમયપત્રકના મુજબ, ભારત અને પાકિસ્તાને United Arab Emirates અને ઓમાન ની સાથે એક જ ગ્રુપમાં રાખી છે. 14 સપ્ટેમ્બર બંને ટીમ એક-બીજાને સામે હશે. જો બંને ટીમ સુપર-4માં પ્રવેશ કરે છે, તો 21 સપ્ટેમ્બરે આ બંને ટીમ ફરી એકવાર એકબીજાની સામે હશે. અને જો આ બંને ટીમ ફાઇનલમાં પણ પહોંચે છે તો, ત્રીજી વખત પણ મેચ થવાની શક્યતા રહી છે.
એશિયા કપ 2025ની માહિતી:
કુલ 8 ટીમો, પહેલા કરતાં 2 વધારે
19 મેચોનું આયોજન અને સ્થળ: દુબઈ, અને આબુ ધાબી
ભારત-પાકિસ્તાન બંને એક જ ગ્રુપમાં





















